રાષ્ટ્રના ૭૪મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે કોરોના લડતમાં સતત નિષ્ઠાપૂર્ણ સેવા આપનાર કોરોના વોરિયર્સને મંત્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ રમત ગમત ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરના જી.જી.હોસ્પિટલના કોરોનાના નોડલ ડોક્ટર એસ. એસ. ચેટરજી, બી.આઇ.ગોસ્વામી ડો સ્નેહા વઢવાણા તથા અન્ય ડોકટરો, નર્સિસ, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્યકર્મીઓ, લોકોની સુરક્ષા માટે સતત ખડેપગે તૈનાત રહેલા પોલીસકર્મીઓ તેમજ સેનેટરી ઇન્સ્પેકટર અને કોવિડને માત આપી જીવનના જંગને જીતનાર ૮ લોકોને આમ કુલ ૪૮ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.