સુરેન્દ્રનગર શહેરમાં આવેલા જવાહર ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર ખાતે જન્માષ્ટમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને રાહત દરે મીઠાઇ વિતરણનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ખાતે દિવાળી હોય કે જન્માષ્ટમી હોય પ્રસંગોને અનુરૂપ દર વર્ષે રાહત દરે મધ્યમ વર્ગના પરિવારો માટેનું ભવ્ય આયોજન સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી દ્વારા હાથ ધરવામાં આવે છે ત્યારે વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના મહામારીનો ભયંકર રોગચાળો પ્રસરી ગયો છે ત્યારે મંદિર ખાતે શુદ્ધતા સાથે અને સ્વચ્છતાની દેખરેખ હેઠળ તમામ પ્રકારની મીઠાઈઓ તેમજ ફરસાણ બનાવવામાં આવી રહ્યું છે. સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષી અને કોઇપણ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર મીઠાઈ અને ફરસાણનું વેચાણ હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ગ્રાહકોને રાહત દરે આપવામાં આવશે. મંદિર ખાતે રાહત દરે વેચાતી મીઠાઈનો લાભ દરેક પરિવારજનો લઈ શકે છે. પોતાના પરિવારને શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ મીઠાઈઓ ખરીદીને તહેવારની ઉજવણી કરી શકે છે.
Trending
- સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાળકો તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા રાજ્ય સરકારનો નિર્ધાર
- નૌકાદળે બતાવી તાકાત, પાકિસ્તાનના દરિયાથી આટલા કિલોમિટર દુર કરી ફાયરીંગ ડ્રિલ..!
- સુરત : મહીધરપુરા પોલીસે રિક્ષામાં ભુલાઈ ગયેલ બેગ ગણતરીના સમયમાં પરત અપાવી
- ખેડા : વેકેશનની મજા માણી રહેલા એક જ પરિવારના 6 લોકોએ આ રીતે ગુમાવ્યો જીવ..!
- પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું!!!
- ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે: મુખ્યમંત્રી
- અદાણી યોગ પ્રશિક્ષક સ્મિતાકુમારીનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં બે વાર નામ!
- ગુજરાત ગૌરવ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ