સુરેન્દ્રનગર શહેરમાં આવેલા જવાહર ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર ખાતે જન્માષ્ટમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને રાહત દરે મીઠાઇ વિતરણનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ખાતે દિવાળી હોય કે જન્માષ્ટમી હોય પ્રસંગોને અનુરૂપ દર વર્ષે રાહત દરે મધ્યમ વર્ગના પરિવારો માટેનું ભવ્ય આયોજન સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી દ્વારા હાથ ધરવામાં આવે છે ત્યારે વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના મહામારીનો ભયંકર રોગચાળો પ્રસરી ગયો છે ત્યારે મંદિર ખાતે શુદ્ધતા સાથે અને સ્વચ્છતાની દેખરેખ હેઠળ તમામ પ્રકારની મીઠાઈઓ તેમજ ફરસાણ બનાવવામાં આવી રહ્યું છે. સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષી અને કોઇપણ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર મીઠાઈ અને ફરસાણનું વેચાણ હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ગ્રાહકોને રાહત દરે આપવામાં આવશે. મંદિર ખાતે રાહત દરે વેચાતી મીઠાઈનો લાભ દરેક પરિવારજનો લઈ શકે છે. પોતાના પરિવારને શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ મીઠાઈઓ ખરીદીને તહેવારની ઉજવણી કરી શકે છે.
Trending
- મોરબી : હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં આધેડની હ*ત્યા…!
- અમદાવાદ : સાયન્સ સિટી ખાતે અમિત શાહે સહકારી મહાસંમેલન-2025નો કરાવ્યો શુભારંભ
- નકલી દારૂની ઓરિજિનલ ફેક્ટરી..!! જામનગરમાં કનસુમરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી કર્યો પર્દાફાશ
- ફિનલેન્ડમાં જંગલ વિસ્તારમાં 2 હેલિકોપ્ટર ધડાકાભેર અથડાયા, 5ના મો*ત
- અમેરિકામાં વાવાઝોડાનો કહેર : 27 લોકોનાં મો*ત
- હૈદરાબાદ : ચારમીનાર નજીક ગુલઝાર હાઉસમાં ભીષણ આગ, 17ના મો*ત
- ISROનું PSLV-C61 રૉકેટ લૉન્ચ મિશન અસફળ
- પુરપાટ ઝડપે આવતી કારે તરુણીએ અડફેટે લીધી અને પછી…