રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજમાં ચાલતી ટીફીન યોજના આગામી દિવસોમાં ચાર માસ જેટલા સમયગાળામાંથી બંધ હતી તે યોજના અંગે લીલી ઝંડી મળતા બે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના ગામે ગામના બહુધા વ્હોરા વરવાટવાળા ગામે શરુ થાય તે અંગે તડામાર તૈયારી થઇ રહી છે. વિચાર વ્યવહાર અને વેપારમાં જબરુ કાંઠુ કાઢનાર દાઉદી વ્હોરા સમાજમાં છેલ્લા નવ વર્ષથી દેશ અને દુનિયામાં સમાજના પ્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાહીક આલીકદર મુફદલ સૈફૂદીનની સીધી દેખરેખ હેઠળ ચાલતી ફૈઝ ઉલ મવાઇદ અલ બુરહાનીયાના નામથી ચાલતી ટીફીન સર્વીસ દરરોજ દરેક ગામોના અમીર ગરીબ દરેક વર્ગના વ્હોરા સમાજના ઘેર ઘેર બપોરે એક ટંકનું ભોજન પહોચાડે છે. પણ કોરોના વાઇરસની મહામારીને કારણે છેલ્લા ચાર માસથી વધુ સમય આ સર્વીસ બંધ હતી પણ હવે કેટલાક રાજયોમાં સરકારે અનલોક કરતા સૌરાષ્ટ્રના રાજકોટ મહુવા, જસદણ, ઉપલેટા, વિસાવદર, જામનગર, અમરેલી, ભાવનગર, જસદણ, બોટાદ, મોરબી, વાંકાનેર, જેતપુર, જુનાગઢ જેવા અનેક ગામોમાં આ ટીફીન યોજના શરુ થશે આ માટે સૈયદના સાહેબે ની રજા મળે છે. અત્રેએ નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજના ઘેર દરરોજ આવતા આ ટીફીન ભોજનને કારણે અનેક ઘરોમાં રાહત છે. જે બુર્ઝુગો છે ગરીબો છે તેમને માટે રાહતરુપ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્યમાં લાભ મેળવી શકો.
- વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં….
- ઈચ્છો છો કે તમારું બાળક તમારી સાથે દરેક વાત શેર કરે, તો…
- આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર આ સમયે મેટ્રો સેવા રહેશે બંધ
- શું તમારા ચહેરાનો રંગ કાળો થઈ રહ્યો છે ? આ વિટામિનથી લાવો ચમક !!
- 1 મેથી સેટેલાઇટ ટોલ સિસ્ટમ લાગુ કરવાના સમાચાર પર સરકારનું મોટું નિવેદન..!
- સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ FIR દાખલ!!!
- TVS Apache RR310 દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…