તન-મનની તાજગી તંદુરસ્તી માટે યોગ સાધના
રાજકોટ બન્યું યોગમય: અનેક શૈક્ષણિક સામાજિક સંસ્થાઓમાં સામુહિક યોગાભ્યાસ કરાયા
આજે વિશ્વ યોગ દિવસની અનેક જગ્યાએ ઉજવણી થઈ છે. દરેક રાજયોમાં અને અનેક દેશોમાં યોગસાધના કરી લોકોએ તન મનની સ્ફૂર્તિ મેળવી છે. રાજકોટ શહેર જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં યોગ ઉત્સવ ઉજવાયો છે. સરકારી કચેરીઓ, અનેક સામાજીક શૈક્ષણીક સંસ્થાઓમાં કોલેજો કેમ્પસ, પ્રાંગણ, બાગ બગીચામાં આજે યોગ દિવસની લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી છે. રાજકોટ જિલ્લામાં આશરે ૬.૫૦ થી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો છે. આ વર્ષે યોગની થીમ ‘યોગા ફોર હાર્ટ કેર’ છે. હૃદય એ માનવ શરીરનું સૌથી અગત્યનું અંગ છે. આપણી જીવંતતા હૃદય અને મગજને આભારી છે. ત્યારે હૃદયની તંદુરસ્તી માટે જાગૃતી જરૂરી છે. હાર્ટ એટેક ખૂબજ જોખમી છે. તેના મૂળમાં બ્લડ પ્રેશર, ડાયાબીટીશ, ધુમ્રપાન કે બેઠાડુંજીવન જવાબદાર છે. નીયમિત યોગ થકી સ્ટ્રેસ સમયે હૃદયના ધબકારા વધે તો પણ તેને એટેક આવવાની સંભાવના ઓછી રહે છે.
યોગ અંગે જાગૃતિ વધે તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક જગ્યાએ આયોજનો થયા હતા. ગોંડલ સ્થિત ભુવનેશ્ર્વરી પીઠ, ધોરાજી પાસે ઓસમ ડુંગર, સુપેડી પાસે મુરલી મનોહર મંદિર, ઘેલા સોમનાથ તેમજ વીરપૂર સ્થિત મીનળ દેવી વાવના સ્થળે યોગાભ્યાસ થયો છે.
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 11 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_1720.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 12 yoga-sadhana-for-thyoga-sadhana-for-the-health-of-self-mind-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_1729.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 13 yoga-is-necessary-in-the-life-of-todays-sloping-mayor](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/Screenshot_1-13.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 14 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_1714.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 15 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_1786.jpg)
યોગ એટલે શું ?
યોગ એ આપણા પ્રાચીન ઋષી મૂનીઓ દ્વારા મળેલી એક આજના મનુષ્ય માટે ભેટ છે. કે જે આપણે આખા દિવસ જે કામ કરીએ છીએ અને આખા દિવસનું જે એક થાક લાગે છે. તેમનો મુળભૂત અર્થ છે. કે યોગ એટલે જોડાણ અને આત્માનું પરમાત્મા સાથે નું જોડાણ કઈ રીતે ? યોગ એ એક ઋષી મૂનીઓ દ્વારા પ્રાચીનઋષી મૂની દ્વારા યોગને બહુ જ શારી રીતે ઢાળમાં ઢાળ્યો છે. જેમાં પણ નિયમ અને આસન અને પ્રાણાયામ યોગ એ એક આધ્યાત્મીક દિશામાં પણ લઈ જાય છે. અને સાથે સાથે દૈનિક કાર્યક્રમની સાથે શારીરીક અને માનસીક તંદુરસ્તી માટે પણ યોગએ ખૂબજ જરૂરી છે.
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 16 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/Sequence-01.Still002.jpg)
યોગા કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ
યોગ કરતી વખતે સામાન્ય રીતે તો સવારનાજ કરવા જોઈએ યોગ કરતી વખતે ભૂખ્યા પેટે યોગ કરવા જોઈએ અને પાણી પીને કરો તો ચાલે યોગ કરતા પહેલા કસરત, આસન અને પછી પ્રાણાયામ કરવા જોઈએ અને યોગ ચાલુ કરતા પહેલા શરીરને ગરમ કરવું જોઈએ અને થોડી કસરત કરી જેમાં ગળાની કસરત, હાથ, પગ, કમરની કસરત, કરવી જોઈએ અને ત્યારબાદ યોગ હોય અને જેમાં ઉષ્ઠાસન, ભુંજગાસન, ચક્રાસન જેવા આસન કરવા જોઈએ અને આવા બધશ આસનથી રોગ મૂકિત મળે છે.
યોગ અને જીમમાં શું ફેર છે?
ઘણા લોકોમાં એવી માન્યતા છે કે યોગ અને જીમ બંને એક જ છે. અને એવું લાગે છે કે યોગમાં પણ કસરત થાય છે. અને જીમમાં પણ કસરત થાય છે. પણ આ વાત ખોટી છે કે યોગ અને જીમ બંને વસ્તુ અલગ છે. યોગમાં સ્વાચ્છોશ્ર્વાસ ક્રિયા જોડાવાથીએ યોગ કહેવાય છે. અને જીમની અંદર ફકત કસરતો થાય છે. જયારે જીમની અંદર પરસેવો જ વળે છે. અને એનું નુકશાન લાંબા સમયે થાય છે. અને યોગાથી કાંઈ આડઅસર નથી થાતી અને ૧ વષૅ ૨ વર્ષ જીમમાં ગયા પછી ચામડીઓ લચી પડે એ લાંબા સમયે શરીરના સાંધાઓ ઘસાય છે.
કઈ ઉમરે કેવા યોગ કરવા જોઈએ?
બાળકો માટે જોવા જાઈએ તો સ્પર્ધાત્મક યોગ કરવા જોઈએ જે કઠીન આસન છે. જે આપણને કરવામાં મુશ્કેલી થાય છે. તેવા આસનો બાળકોને કરવા જોઈએ અને ત્યારબાદ ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના વ્યકિતને એવા યોગ કરવા જોઈએ કે જે એક સ્થિતિમાં લાંબા સમય સુધી ટકી શકે છે. જેમાં વ્રજઆસન, પશ્ર્ચિમોતાસન, પધુમાસન, કલાસન, સર્વાગાંશન, આ બધા જ આસનો આ લોકો કરી શકે છે. અધરા આસનમાં ધનુરાશન, પૂર્વસલાઆસન, પૂર્ણ ચક્રાસન, મચ્છયાસન, વૃશ્ર્ચિકઆસન, વેગડાસન, આ બધા આસનો બાળકો માટે કરવાનાં હોય છે.
યોગ કરવાના ફાયદા શું?
યોગાના ફાયદા અનેક છે. આપણો જ જન્મ થાય ત્યારે લોકો એવું કહેતા હોય કે આ વ્યકિતનું આયુષ્ય આટલુ હશે. ત્યારે હું એમ કહીશ કે યોગનું સ્વાચ્છોશ્ર્વાસની ક્રિયા સાથે જોડાણ છે. કે તમે તમારી ઉંમર વધારવા માટે કોઈપણ જાતનાં પ્રયાસ કરતા હોય તો તમારૂ જે આયુષ્ય છે. ફીકસ છે. તેમા કોઈ વધઘટ ન થાય ત્યારે યોગ એવો રસ્તો છે. જયારે તમે તમારૂ આયુષ્ય તેનાથી વધારી શકો છો. સ્વાચ્છોશ્ર્વાસની ક્રિયા તમારી મજબૂત હશે આપણે દિવસ દરમિયાન કેટલી વખત લેતા હોય કે છોડતા હોય એ પધ્ધતી છે કે શ્ર્વાસ કઈ રીતે લેવો જો વધુ થાક લાગ્યો હોય તો આપણે તેવું કરતા હોય છીએ કે ઘરમાં લાંબા શ્ર્વાસ લેવા માંડીએ છીએ તો તે વસ્તુ ન કરવી જોઈએ સાથે પાણી પણ તરત ન પીવું જોઈએ વગેરે જેવી નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ યોગનું તમે યોગ્ય માર્ગદર્શન ન લ્યો નિષ્ણાંત પાસેથી સલાહ ન લ્યો તો તેવું બની શકે કે યોગની આડઅસર પણ ઉભી થતી હોય તો તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી અને યોગના જે ફાયદાઓ છે. લોકોને કમર, કરોડરજજૂ, જોઈન્ટના પ્રોબ્લેમ થતા હોય તો તેના ઓપરેશન અથવા, આયુર્વેદીક ઉપચાર કરતા હોય ત્યારે યોગ કરવાથી કમરનાં દુખાવા બેક પેઈન, સાંધાના દુ:ખાવા શરીરને મજબૂત સ્થિતિમાં રાખવું લાંબા સમય સુધી કાર્યરત રહી શકીએ. તેવી ક્ષમતા પણ યોગ આપે છે. તો યોગ તરફ પ્રયાણ કરવાથી મહત્વનો ફાયદો થાય તો આપણે આપણું આયુષ્ય પણ વધારી શકીએ તંદુરસ્તી સારી રાખી શકીએ અને માનસીક સંતુલન કરી શકીએ.
અબતક ચેનલના માધ્યમથી હું લોકોને ૨૧ જૂનના રોજ સંદે પાઠવું છું કે એક દિવસ જો આપણે આપણુ રૂટીન અને આપણા જીવનમાં લાંબા સમય સુધી આપણષ યોગ તરફ જઈ શકી અને આપણે યોગને અપનાવીએ અને શારીરીક અને માનસીક અને તંદુરસ્તી સરી જળવાય આજે અબતકના માધ્યમથી યોગ તરફ તમે પ્રયાણ કરશો તેવી આશા રાખું છું.
ખોડલધામ ટ્રસ્ટ આયોજીત યોગ સાધનામાં લોકોની બહોળી ઉપસ્થિત
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 18 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/vlcsnap-2019-06-21-08h18m13s71.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 19 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/vlcsnap-2019-06-21-08h18m22s162.png)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 20 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/vlcsnap-2019-06-21-08h18m44s130.png)
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે નાના મોવા સર્કલ પર યોગ સાધના કરાવવામાં આવી હતી. જ્યાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્તિ રહી યોગ કર્યા હતા. આર્ષ વિદ્યામંદિરના પરમાત્માનંદર સ્વામીજી, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, એડવોકેટ અભય ભારદ્વાજ, હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિત સમાજના અનેક આગેવાનો યોગ સાધનામાં જોડાયા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન યોગ મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરાયું છે. ૨૧ જૂને વિર્વ યોગ દિવસ નિમિતે રોગ આધારિત યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ મહોત્સવના પ્રથમ દિવસે ૨૧ જૂનના રોજ દીપ પ્રાગ્ટય સાથે મહોત્સવની શઆત કરવામાં આવી. દિપ પ્રાગ્ટય બાદ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. રાષ્ટ્રગાન બાદ વડોદરાના કાયાવરોહણ તીર્થ સેવા સમાજના યોગાચાર્ય સ્વામી મુકતાનંદજી (શ્રી અનંતદેવજી) દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો. આવતીકાલે ૨૨ જૂને પણ યોગ મહોત્સવ ચાલુ રહેશે.
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 21 Municipal commissioner, Banchhanidhi Pani](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_0121.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 22 Doctor Visita Shah (former deputy mayor)](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_0149-e1561119257251.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 23 Chairman of Health Committee jaymin thakar](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_0090.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 24 Rajkot District Collector Rahul Gupta](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_0123.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 25 Standing committee chairman Uday Kangad](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/IMG-20190621-WA0049.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 26 Deputy municipal commissioner Chetan Nandani](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_0141.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 27 Doctor Jaymanbhai Upadhyay](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/03-pardi-road-yog.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 28 Folklorist kirtidana Gadhvi](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_0139.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 29 Yoga With Selfie](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/20190621072824_IMG_5306.jpg)
રાજકોટ રેલવે ડિવીઝનમાં યોગ દિવસની ઉજવણી
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 30 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/vlcsnap-2019-06-21-08h24m59s240.png)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 31 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/vlcsnap-2019-06-21-08h25m25s30.png)
૨૧ જૂનના રોજ વિશ્ર્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ઠેર-ઠેર જગ્યાએ યોગા કરવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ રેલવે ડી.આર.એમ.કેમ્પસ ખાતે યોગ કરવામાં આવ્યા હતા. રેલવેના તમામ કર્મચારીઓ દ્વારા યોગા કરવામાં આવ્યા હતા. તા યોગી તા ફાયદાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. મીડિયા સોની વાતચીત દરમિયાન એ.ડી.આર.એમ. એસ.એસ.યાદવે જણાવ્યું હતું કે, રાજકોટ રેલવે મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ડી.આર.એમ. કેમ્પસ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં અમારા રેલવેના તમામ કર્મચારીઓ તા તેમના પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. સાો સા બધશ લોકો પણ જોડાયા છે. આ કાર્યક્રમ અમે પતંજલિ યોગ પીઠના તત્વાધ્યાનમાં કરીએ છીએ. ગોપાલ શર્મા તા તેમના દોસ્તો સો તેઓ આવ્યા છે. ત્યારે વાત કરીએ તો ભારતીયોની પુરાણી પરંપરા છે. યોગની તો આ પરંપરાને લોકો સુધી પહોંચાડવી જોઈએ અને તેની જાગૃતિ લાવવી જોઈએ. તેનાી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે: લાખાભાઇ સાગઠિયા
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 32 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_0579.jpg)
મહાનગર પાલીકા વિશ્ર્વ યોગ દિવસ નીમીતે લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું કે વોર્ડ નં. ૮,૧૧,૧૨ અને ૧૩ નાં તમા કોર્પોરેટર પ્રમુખ, મહામંત્રી અને દરેક વોર્ડના વિઘાર્થી નાના મૈવા ચોકે એકત્રીત થયા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૧ જુન ર૦૧૫ થી જે યોગ દિવસ શરુ કર્યો અને સમગ્ર વિશ્ર્વમાં પણ યોગનું પાંચમું વર્ષનું નિર્માણ થયુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં જણાવ્યું કે, દરરોજ યોગ કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને રોગ થતાં નથી. આમ વડાપ્રધાન ના સંદેશ સાથે આપણે સૌ યોગ કરી સ્વસ્થ રહીએ.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વિશ્વયોગા દિવસની ગરીમાંપુર્ણ ઉજવણી
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 33 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/DSC_0074.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 34 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/IMG_1644-e1561117943816.jpg)
![યોગ:પૃથ્વી પરના લોકો માટે એક વરદાન 35 yoga-sadhana-for-the-health-of-self-mind](https://www.abtakmedia.com/wp-content/uploads/2019/06/IMG_1639.jpg)
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૬૦૦થી પણ વધારે નગરજનોએ ઉત્સાહભેર યોગા કર્યા હતાં જેમાં દિવ્યાંગ બાળકો, આગંણવાડી બહેનો,આરોગ્યા કેન્દ્રના આશાવર્કરો, સફાઇ કામદારો, રીક્ષા ચાલકો, સીકયુરીટીગાર્ડ,વાહન એસોસીએશનનાં હોદેદારો
ડ્રાઇવરો, મહાનગરપાલિકાનાં અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારી, મ્યુઝિયમનો સમગ્ર સ્ટાફ વગેરેએ ખુબજ ઉત્સાહપુર્ણ યોગ કરીને યોગ દિવસની ખરા અર્થમાં ગરીમાપુર્ણ ઉજવણી કરી હતી. ઉપસ્થિત લોકોએ આર્ટ ઓફ લીવીંગ સંસ્થાર તથા પતંજલી સંસ્થાઉના યોગ નિષ્ણાંઓતોનાં માર્ગદર્શન હેઠળ યોગનાં વિવિધ આસનો કર્યા હતાં.
કાર્યક્રમમાં દંડક અજયભાઇ પરમાર, પતંજલી સંસ્થાનાં નયનાબેન, આર્ટ ઓફ લીવીંગ સંસ્થાનાં અજયભાઇ મકવાણા, વિ.ડી. પારેખ, શ્રી હિનાબેન મોદી, વિપુલભાઇ ઘોણીયા, પી.પી. રાઠોડ, અતુલભાઇ દેત્રોજા તેમજ મહાનગરપાલિકાનાં પદાધીકારીઓ, અધિકારીઓ, ગાંધી મ્યુઝિયમનો સ્ટાર, નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતાં.