એક સાથે આઠ મકાનના તાળા તુટયાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક મકાન તસ્કરોએ બનાવ્યું નિશાન

ચોટીલાની હરીધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક સાથે આઠ મકાનોના તાળા તુટયાના સમાચારોની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ ચોટીલાના યોગીનગરમાં એક રબારી પરીવારના ઘરમાંથી ધોળા દિવસે અંદાજે ૧૯ તોલા સોનાના દાગીના રૂ.૬૦ હજાર રોકડા અને ચાંદીના ઘરેણાની ચોરી થતા પોલીસની કામગીરી સામે શહેરમાં ઘેરો રોષ ફેલાયો છે. ચોટીલાના યોગીનગરમાં ખીમોઈ હોટલ પાછળ રહેતા રબારી રાણાભાઈ પોલાભાઈ ધાંધડના સગાનું અવસાન થવાથી આ પરીવાર ચોટીલામાં જ તે સગાના ઘરે ગયો હતો ત્યારે બપોરના સમયે આ ઘરમાં તસ્કરો ખાબકયા હતા અને ઘરના કબાટમાં રૂ.૬૦ હજાર અને ૧૯ તોલા સોનાના ઘરેણા સહિત લાખોની મતાની ચોરીનો બનાવ નોંધાતા પોલીસ પેટ્રોલીંગ વધારવા પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.