ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ પ્રણામી મંદિર ખાતે સેવા પુજા કરતા સાઘ્વીના ઘેર ૪ અજાણ્યા લુંટારુઓએ લાકડાના ધોકા અને લાકડીઓ વડે માર મારીને સોના-ચાંદીના દાગીના લુંટી ગયા અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ કરતા સાઘ્વી અમૃતામાતાજી ગુરુ ધર્મદાસજી શર્મા ઉ.વ.૭૧એ પોતાની ફરિયાદમાં ૪ અજાણ્યા બુકાનીધારીઓએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લાકડાના ધોકાઓ વડે મુંઢ માર મારી અને રમહેદ સીતાબેનને લાકડી વડે મારમારી ઢીકાપાટાનો મારમારી ફરિયાદીએ પહેરેલ સોનાનું પાટલું કિ.૨૦,૦૦૦ તથા કાંડા ઘડીયાળ નંગ-૧ કિ.રૂ.૫૦૦, ચાંદીની પાયલ કિ.રૂ.૩૦૦૦ તથા સોનાની બુટી કિ.રૂ .૭૦૦૦, નોકીયા મોબાઈલ કિ.૫૪૦ તેમજ રોકડ રૂ.૧૫૦૦૦ મળી ૫૩,૩૦૦ના મુદામાલની લુંટ અંગે ફરિયાદ કરતા પોલીસે આઈપીસી કલમ ૩૯૪, ૪૫૨, ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી ડોગસ્કોટ અને ફિગરપ્રિન્ટ એકસ્પો સહિતની એજન્સીઓએ તપાસ હાથધરી છે. આ બનાવ અંગે પી.એસ.આઈ જે.બી.મીઠાપરા તપાસ ચલાવી રહેલ છે. ધોરાજીમાં લુંટ, ચોરીઓના બનાવો વધતા શહેરમાં સીસીટીવી કેમેરાઓ ફીટ કરવા જોઈએ એવી નાગરીકોની માંગ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દિવસ રહે
- કેન્સરના દર્દીઓ 30 મિનિટ સુધી ચાલે તો આવે છે પોઝિટિવ એનર્જી
- ગોધરા: વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ધમકી આપનાર સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ
- અબડાસા બાર એસોસિએશન દ્વારા મામલતદાર આવેદનપત્ર પાઠવાયું
- રાજકોટનું નામ દુનિયામાં રોશન કરનાર ઉદ્યોગપતિઓને કાલે ગ્રેટર ચેમ્બર સન્માનશે
- Anjar : 535.79 લાખના 194 વિકાસ કામોના વર્ક ઓર્ડેર વિતરણ કાર્યક્રમ યોજાયો
- જુનાગઢ: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો છઠ્ઠો યુવા મહોત્સવ યોજાયો
- દરેક ટ્રેજેડીમાં કોમેડી અને નિર્દોષ મનોરંજન પીરસતી ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી” રિલીઝ