રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચાલી રહેલ છે. તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુને વધુ જાગૃતતા આવે તે સંદર્ભ જેના અનુસંધાને આજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત શ્રોફ રોડ પર આવેલ દતોપંત ઠેંગડી લાઇબ્રેરી ખાતે કચરો રસ્તા પર ફેંકવામાં ન આવે એ માટે લોકોની જાગૃતતા માટે પોકેટ કચરાની બેગ વિનામુલ્યે આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ અને બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાના વરદ હસ્તે શુભારંભ કરાયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા દતોપંત ઠેંગડી પુસ્તકાલયના લાઈબ્રેરીયન એન. એમ. આરદેસણા તથા તેના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં ચીડિયાપણું રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.
- ધનબાદ : ઝરિયા જૂનું રેલવેસ્ટેશન કહેવાય છે કે ખંડેરમાંથી ઘુંઘરુનો અવાજ અને…
- સરધાર-ભાડલા રોડ પર અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં આગ લાગતા 4 લોકો ભડથું
- મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમની તૈયારીઓ માટે રિહર્સલ…
- નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાની કરાઈ હ*ત્યા
- ઇન્ટરેસ્ટિંગ વાત / આકાશ લાલ કે લીલું નહીં વાદળી જ કેમ દેખાય !!!
- પુણા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટીમે વિના મુલ્યે કુંડાનું કર્યું વિતરણ