Abtak Media Google News

શ્રીમદ્ ભગવદ્ ગીતાએ  હિંદુ ધર્મના સૌથી પવિત્ર પુસ્તકોમાંનું એક છે. જો કે આ ધાર્મિક પુસ્તક ઘણા લોકોના ઘરોમાં જોવા મળશે, પરંતુ આજે અમે તમને વિશ્વના સૌથી મહાન શ્રીમદ ભાગવત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વજન, લંબાઈ, પહોળાઈ

તેનું વજન 800 કિલો છે અને એક પાનું ફેરવવામાં 4 લોકોની જરૂર પડે છે. તે દક્ષિણ દિલ્હીમાં પૂર્વ કૈલાશ ખાતે ઇસ્કોન મંદિરમાં છે.INDIA PM Unveils World`s Largest Bhagavad Gita At ISKCON, 52% OFF

 

દક્ષિણ દિલ્હીના ઈસ્કોન મંદિરમાં રાખવામાં આવેલી ગીતા 2.8 મીટર લાંબી અને 2 મીટર પહોળી છે. આ સિવાય તેનું વજન પણ 800 કિલો છે. જે સામાન્ય ગીતા પુસ્તકો કરતાં ઘણી વધારે છે. એક પૃષ્ઠ ફેરવવા માટે 4 લોકોની જરૂર પડે છે. તમને જણાવી દઈએ કે આ શ્રીમદ્ ભગવદ્ ગીતા 670 પાનાની છે.

 આ  પાના સામાન્ય પાનાથી તદ્દન અલગ

Ambedkar and Gita: There is a reason why Narendra Modi will never mention them together

શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ  પાના સામાન્ય પાનાથી તદ્દન અલગ છે. તેના પાના બનાવવા માટે મજબૂત સિન્થેટિક કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે તેમાં સોનું, ચાંદી અને પ્લેટિનમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હીના ઈસ્કોન મંદિરમાં રાખવામાં આવેલી આ શ્રીમદ્ ભગવદ્ ગીતાની રચના ઈસ્કોનના સ્થાપક આચાર્ય શ્રીમદ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા કરવામાં આવી હતી.

આ વિશાળ શ્રીમદ્ ભગવદ્ ગીતા  બનાવવા માટે ખર્ચ

આ વિશાળ શ્રીમદ્ ભગવદ્ ગીતા  બનાવવા માટે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેને છાપવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો, ત્યારબાદ વિશ્વની સૌથી મોટી શ્રીમદ ભાગવત ગીતા તૈયાર કરવામાં આવી.

INDIA PM Unveils World`s Largest Bhagavad Gita At ISKCON, 52% OFF

જો તમે દિલ્હીમાં રહો છો તો નજીકનું મેટ્રો સ્ટેશન કૈલાશ કોલોની મેટ્રો સ્ટેશન છે. અહીંથી તમે પગપાળા અથવા રિક્ષા લઈને મંદિરે પહોંચી શકો છો. અન્ય શહેરોમાંથી આવતા લોકો રેલ્વે સ્ટેશન (નવી દિલ્હી મેટ્રો) થી કૈલાશ કોલોની સુધી મેટ્રો દ્વારા મંદિરના દર્શન કરી શકે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.