Abtak Media Google News

 

રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. વિધાનસભાની બેઠકો સરભર કરવા ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. લાકડિયામાં કોંગ્રેસનાં 250 કાર્યકારોએ એક સાથે કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

રાપર વિધાનસભાના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં 250 કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.લાકડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ અને કૉંગ્રેસના મંત્રી ફતેહમામદ રાઉમાં, લક્ષમનસિંહ સોઢા,એન.આર. ગઢવી ,ઉંમરજી રાઉમાં,ખલીફા નુરમામદ,લંઘા રમજું,મુકેશભાઈ મહેશ્વરી,કાંતિભાઈ મહેશ્વરી,ગગડા અનવર,રાઉમાં રજાક, કોલી પોપટ,નૂરમામદ ફકીર,રમજું બાવા ફકીર,રાઉમાં કરીમ સહિત 25 કૉંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ,હરિસિંહ જાડેજા,સાવજસિંહ જાડેજા,દયારામ મારાજ,લાભશંકર મહારાજ,અકબર રાઉમાં,અશોકસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.