Abtak Media Google News
  • 300 પીએસઆઈ અને 384 એએસઆઈની  જગ્યા મંજૂર

ગુનાખોરી પર અંકુશ લાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યભરના 200 જેટલાં પોલીસ મથકને અપગ્રેડ કરીને પી.આઈ.ની નિમણુંક કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા માટે 300 પીએસઆઈ અને 384 એએસઆઈની જગ્યા પણ મંજુર કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં વધતી જતી ગુનાખોરીને ધ્યાને લઈ ગુજરાત પોલીસનું મહેકમ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાઓના મુદ્દાઓની કામગીરી અને તપાસ સંચાલક માટે પોલીસ મહેકમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે શોધ પ્રોજેક્ટ ( સ્ટ્રેંથીંગ ઓફ હ્યુમન રિસોર્સ ફોર ઓપરેશસન, ડિટેક્ષન એન્ડ હેન્ડલિંગ ઓફ લો એન્ડ ઓર્ડર) અંતર્ગત વર્ષ 2024-25નાં બજેટમાં ગુજરાત પોલીસનું સંખ્યાબળ વધારવા માટે માંગેલી મંજુરી ઉપર મ્હોર લાગી છે. જેના કારણે હવે ગુજરાતભરમાં પોલીસ ખાતામાં વધુ મહેકમની ભરતી કરવામાં આવશે.

જેમાં રાજકોટના 14 સહિત ગુજરાતભરનાં 200 જેટલા પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી આ પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે. તેમજ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખાલી પડેલી 300 બિન હથિયારી પીએસઆઈ તેમજ 280 એએસઆઈ અને 94 હથિયારી એએસઆઈની ભરતી કરવામાં આવશે. આમ ગુજરાતમાં કુલ 894 હંગામી જગ્યાઓ ઉભી કરવામાં આવશે જેના માટે રૂ.69.08 કરોડની રકમની વહીવટી મંજુરી ગૃહ વિભાગનાં ઠરાવ બાદ આપવામાં આવી છે.

આગામી ટૂંક સમયમાં જ ગૃહવિભાગ દ્વારા પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પીઆઈની નિમણૂંક આપવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શાપર વેરાવળ, ગોંડલ તાલુકા, જેતપુર ઉદ્યોગનગર, મેટોડા, ધોરાજી તાલુકા, જેતપુર તાલુકા, પડધરી, કોટડાસાંગાણી, લોધિકા, ભાયાવદર, જામકંડોરણા અને વિરપુર તેમજ પાટણવાવ પોલીસ મથકમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓમાં સુરેન્દ્રનગરના -11, મોરબીના-3, જામનગરના 8, દેવભૂમિ દ્વારકાના 2, જૂનાગઢના 7, ગીર સોમનાથના 4, પોરબંદરના 3, અમરેલીના 6, ભાવનગરના 8 અને બોટાદના 2 પોલીસ મથકને પીઆઈ કક્ષાના અપગ્રેડ કરી ત્યાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે.

ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લાઓમાં ખાલી પડેલી પીએસઆઈની 300 જગ્યા ઉપર ટૂંક સમયમાં જ પીએસઆઈની નિમણૂંક થશે. જેમાં રાજકોટ સીટીમાં 30, રાજકોટ ગ્રામ્યમાં 10, સુરેન્દ્રનગરમાં 8, મોરબીમાં 5, જામનગરમાં 5, દેવભૂમિ દ્વારકા 3, જૂનાગડ 16, પોરબંદર 6, ગીર સોમનાથ 1 અને અમરેલીમાં 11 પીએસઆઈની નિમણૂંક કરવામાં આવશે. ઉપરાંત નવા 200 બિનહથિયારી એએસઆઈને ગુજરાતના અલગ અલગ પોલીસ મથકોમાં ફાળવવામાં આવ્યા છે. આ જગ્યાઓમાં રાજકોટ શહેરમાં 12, રાજકોટ ગ્રામ્યમાં 9, મોરબી 3, જૂનાગઢ 3, પોરબંદર 5, અમરેલી 7, ભાવનગર 13 બિનહથિયારી એએસઆઈ મુકવામાં આવશે. તેમજ 94 હથિયારી એએસઆઈની પણ નિમણૂંક થશે જેમાં રાજકોટ સિટીમાં 25 હથિયારી એએસઆઈની ફાળવણી કરવામાં આવશે. 280 બિનહથિયારી એએસઆઈ પૈકી હેડ કોન્સ્ટેબલ કક્ષાના 208 આઉટ પોસ્ટને એએસઆઈની પોસ્ટમાં અપગ્રેડ કરી 208 એએસઆઈની ફાળવણી કરવામાં આવશે.

જેમાં કુલ 32 બિન હથિયારી એએસઆઈને રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ ચાર કમિશ્નર રેટમાં ફાળવણી કરવામાં આવશે. 208 જેટલી હેડ કોન્સ્ટેબલ કક્ષાની આઉટ પોસ્ટને એએસઆઈ કક્ષાની આઉટ પોસ્ટમાં અપગ્રેડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની કુલ 9 આઉટ પોસ્ટમાં હવે એએસઆઈની નિમણૂંક થશે. જેમાં ગોંડલ તાલુકાના સુલતાનપુર, જામકંડોરણામાં વાવડી અને ચિત્રાવડ, આટકોટના મોટા દડવા અને સાણંથલી, જસદણના ભડલી, ભાયાવદરના ઢાંક, સુલતાનપુરના વાસાવડ, કોટડાસાંગાણીના રામોદ આઉટ પોસ્ટમાં હવે એએસઆઈની નિમણૂંક કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના ક્યાં પોલીસ સ્ટેશન અપગ્રેડ કરાશે?

રાજકોટ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શાપર વેરાવળ, ગોંડલ તાલુકા, જેતપુર ઉદ્યોગનગર, મેટોડા, ધોરાજી તાલુકા, જેતપુર તાલુકા, પડધરી, કોટડાસાંગાણી, લોધિકા, ભાયાવદર, જામકંડોરણા અને વિરપુર તેમજ પાટણવાવ પોલીસ મથકમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે.

સૌરાષ્ટ્રના 54 પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણુંક કરાશે

સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓમાં સુરેન્દ્રનગરના -11, મોરબીના-3, જામનગરના 8, દેવભૂમિ દ્વારકાના 2, જૂનાગઢના 7, ગીર સોમનાથના 4, પોરબંદરના 3, અમરેલીના 6, ભાવનગરના 8 અને બોટાદના 2 પોલીસ મથકને પીઆઈ કક્ષાના અપગ્રેડ કરી ત્યાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.