Abtak Media Google News

એડેલા શોર્સ નામનું જહાજ 1894 માં શોર્સ લમ્બર કંપની દ્વારા જીબ્રાલ્ટર, મિશિગન, યુએસએમાં બનાવવામાં આવ્યું હતું. કંપનીના માલિકની પુત્રીના નામ પરથી જહાજનું નામ રાખવામાં આવ્યું હતું. આ જહાજ અચાનક ગાયબ થઈ ગયું હતું, પરંતુ હવે તે મળી આવ્યું છે.

ઈતિહાસમાં આવા અનેક જહાજો આવ્યા છે, જે પાણીમાં ડૂબી ગયા અને બચાવી શક્યા નથી. પરંતુ એક એવું જહાજ પણ આવ્યું છે, જે ડૂબી ગયું પણ તેને શાપિત પણ કહેવામાં આવ્યું છે. આ જહાજ 115 વર્ષ પહેલા ડૂબી ગયું હતું અને અચાનક ગાયબ થઈ ગયું હતું. તે ક્યાં ગયુ હતું તેની કોઈને ખબર નહોતી. પરંતુ હવે આટલા વર્ષો બાદ તે જહાજ મળી આવ્યું છે અને ચોંકાવનારી તસવીરો સામે આવી છે. આ જહાજ અમેરિકા નજીક ગાયબ થઈ ગયું હતું. પણ સવાલ એ થાય છે કે આ જહાજને શાપિત કેમ કહેવામાં આવી રહ્યું છે?

એડેલા શોર્સ નામનું જહાજ 1894માં અમેરિકાના મિશિગનના જીબ્રાલ્ટરમાં શોર્સ લમ્બર કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. કંપનીના માલિકની પુત્રીના નામ પરથી જહાજનું નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે આ 735 ટન લાકડાની સ્ટીમશિપ નીકળી ત્યારે તેમાં 14 લોકો સવાર હતા. છેલ્લા 15 વર્ષમાં આ 195 ફૂટ લાંબુ જહાજ વધુ બે વખત ડૂબી ગયું હતું. તે સમયે પણ ખલાસીઓએ વિચાર્યું કે આ વહાણ શાપિત છે.

તે 1909 માં ગુમ થઈ ગયું હતું

29 એપ્રિલ, 1909ના રોજ આ જહાજ મિનેસોટા માટે રવાના થયું. ત્યારબાદ તેને મીઠું ભરીને મોકલવામાં આવતું હતું. પરંતુ 1 મે, 1909 ના રોજ, તે જહાજ અચાનક ગાયબ થઈ ગયું હતું. આ જહાજ વ્હાઇટફિશ પોઈન્ટ, મિશિગનથી ગાયબ થઈ ગયું હતું. 2021માં 115 વર્ષ બાદ જહાજનો કાટમાળ સમુદ્રની 650 ફૂટ નીચેથી મળી આવ્યો હતો. તે જ્યાં છેલ્લે જોવા મળ્યો હતો ત્યાંથી લગભગ 64 કિલોમીટર દૂર મળી આવ્યો હતો.

શા માટે જહાજ શાપિત માનવામાં આવતું હતું?

જહાજને શ્રાપિત માનવામાં આવે છે કારણ કે જે સમયે વહાણ બનાવવામાં આવ્યું હતું, તે સમયે નવા જહાજની ટોચ પર વાઇનની બોટલ તોડવાનો રિવાજ હતો. જહાજ બનાવતી કંપનીના માલિક અને તેનો પરિવાર દારૂ પીતો ન હતો તેથી તેણે દારૂની બોટલને બદલે જહાજ પર પાણીની બોટલ તોડી નાખી હતી. એડેલાની બહેન બેસીએ આ બોટલ તોડી હતી. ત્યારથી લોકો માને છે કે આ જ કારણથી જહાજ શાપિત થયું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.