ગણતંત્ર દિવસ 2025: રાજકોટ શહેરના એક રેડીમેડ શોરૂમમાં દરરોજ, દુકાન રાષ્ટ્રગીતથી શરૂ થાય છે. આ દુકાનમાં આ પરંપરા 6 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. દુકાનદાર માને છે કે રાષ્ટ્રગીત સાથે દિવસની શરૂઆત કરવાથી એક અનોખી ઉર્જા મળે છે.
- રાજકોટ શોરૂમમાં દરરોજ, દિવસની શરૂઆત રાષ્ટ્રગીતથી થાય છે.
- દિપક ખખ્ખરે આ પરંપરા 6 વર્ષ પહેલાં શરૂ કરી હતી.
- રાષ્ટ્રગીત દુકાનદારો અને કર્મચારીઓને એક અનોખી ઉર્જા આપે છે.
26 જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતીયો દેશભક્તિની ભાવનામાં ડૂબી જાય છે. 26 જાન્યુઆરીએ લોકો દિવસની શરૂઆત રાષ્ટ્રગીત ગાઈને કરે છે અને ગર્વ અનુભવે છે. દરમિયાન, રાજકોટ શહેરના સર લાખાજીરાજ રોડ પર સ્થિત એક કપડાના શોરૂમમાં દેશભક્તિની એક અનોખી પરંપરા જોવા મળે છે. ચાલો જાણીએ આ પરંપરા વિશે.
વર્ષના 365 દિવસ રાષ્ટ્રગીત
રાજકોટ શહેરના સર લાખાજીરાજ રોડ પર સ્થિત એક કપડાના શોરૂમમાં દેશભક્તિની એક અનોખી પરંપરા જોવા મળે છે. અહીં દરરોજ, વર્ષના 365 દિવસ, દુકાન રાષ્ટ્રગીત સાથે શરૂ થાય છે. દુકાનના માલિકે જણાવ્યું કે તેમને આ વિચાર કેવી રીતે આવ્યો અને તેમના શોરૂમમાં રાષ્ટ્રગીત ક્યારે વગાડવાનું શરૂ થયું.
શોરૂમના માલિક દીપક ખખ્ખર કહે છે કે 6 વર્ષ પહેલાં રિનોવેશન થયા બાદ આ 30 વર્ષ જૂની દુકાનમાં આ પરંપરા શરૂ કરવામાં આવી છે. દુકાન ખોલતા પહેલા દરરોજ સવારે પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગવાય છે. આ પછી જ ગ્રાહકોને સેવા આપવામાં આવે છે.
રાષ્ટ્રગાનથી અનોખી ઊર્જા મળે છે
શો-રૂમના માલિક દિપક ખખ્ખરે જણાવ્યું હતું કે, મારે રેડીમેઇડ ગારમેન્ટસનો શો-રૂમ છે. રેશમ મારા શો-રૂમનું નામ છે. દરરોજ મારા શો-રૂમની અંદર આવતા જ પહેલા પ્રાર્થના થાય છે. પછી રાષ્ટ્રગાન ગાવામાં આવે છે. પ્રાર્થના અને રાષ્ટ્રગાન થયા પછી જ મારા શો-રૂમની અંદર કામ શરૂ કરવામાં આવે છે. ગ્રાહકોને પણ પછી જ એટેન્ડ કરવામાં આવે છે. રાષ્ટ્રગાનથી મને અને મારા સ્ટાફને એક પ્રકારની ઊર્જા મળે છે. જેનાથી અમે આખો દિવસ ફ્રેશ રહીએ છીએ. રાષ્ટ્રગાનથી અમને ઘણો ફાયદો પણ છે. આ સિવાય સરકારનું હર ઘર તિરંગા અભિયાન ચાલે છે ત્યારે દરેક ફેક્ટરી, દરેક ઘરે અને ઓફિસે બે મિનિટ ફાળવી રાષ્ટ્રગાન ગવાય તે આપણા દેશ માટે સારી વાત છે. હું એટલી આશા રાખું છું કે દરેક દુકાનમાં રાષ્ટ્રગાન ગવાવું જોઇએ.
4 વર્ષ પહેલા શો–રૂમ રિનોવેટ કર્યો ત્યારે વિચાર આવ્યો
ઉલ્લેખનીય છે કે, 4 વર્ષ પૂર્વે દીપક ખખ્ખરએ શો-રૂમ રિનોવેટ કરાવ્યો હતો. ત્યારબાદ સ્ટાફના દરેક લોકો પાસેથી સૂચન મગાવવામાં આવ્યા હતા. જેમાંથી પિયુષ રાઠોડ નામના કર્મીએ જણાવ્યું હતું કે, આપણે પ્રાર્થનાની સાથે સાથે રાષ્ટ્રગીત પણ ગાવું જોઈએ. બસ આ જ વિચાર સાથે રોજ આ શો-રૂમમાં છેલ્લા 4 વર્ષથી રાષ્ટ્રગાન કરવામાં આવે છે. બાદમાં જ દુકાનનું કામ શરૂ કરવામાં આવે છે. અહીં રાષ્ટ્રગાન સમૂહમાં કરવામાં આવે છે.
દેશભક્તિ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ જોવા મળે
15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ લોકો રાષ્ટ્રગાન કરતા હોય છે. પરંતુ રાજકોટના રેશમ શો-રૂમમાં રોજ સવારે દિવસની શરૂઆત રાષ્ટ્ગાન સમૂહમાં ગાયને કરવામાં આવી રહી છે. રાજકોટના લખાજીરાજ રોડ પર આવેલા ધર્મેન્દ્ર રોડ મુખ્ય બજારમાં રેશમ લેડીઝવેર શોરૂમ આવેલો છે. સમગ્ર દેશ ગૌરવ લઈ શકે એવી બાબત આ શોરૂમના રાષ્ટ્રપ્રેમની છે. સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લોકો રાષ્ટ્રગાન કરતા હોય છે. પરંતુ રાજકોટના આ શોરૂમમાં દરરોજ રાષ્ટ્રગાનનું સમૂહમાં ગાન કરવામાં આવી રહ્યું છે.