Abtak Media Google News

સ્ટાર્ટ અપ ઈન્ડિયા ભારતીય યુવા વૈજ્ઞાનિકો તૈયાર કરવાનું પ્રેરક બળ: મુખ્યમંત્રી

૧૮ રાજયના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ કન્વેન્શનમાં ભાગ લીધો: ડો.ટી.પી.શર્મા ડો.મોહરસિંહ સોલંકી, ડો.કે.ભાનુમૂતિ, પ્રો.અજયરાજાને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અર્પણ

એ પી જે અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ રાજસ્થાન દ્વારા ઓલ ઈન્ડિયા રામાનુજ મેથ્સ કલબના નેજા હેઠળ રાજકોટની અર્પિત એજયુકેશન ઈન્સ્ટિટયુટમાં નેશનલ મેથ્સ કન્વેન્શનમાં અલગ અલગ ૧૮ રાજયોમાંથી ૨૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં. આ નેશનલ કન્વેન્શનમાં મેથ્સ મોડલ, મેથ્સ પઝલ, મેથ્સ ક્વિઝ, મેથ્સ રિલે, વૈદિક મેથ્સ અને પેપર પ્રેઝન્ટેશન યોજાયું.

Vlcsnap 2019 02 11 15H03M30S23

અર્પિત ઈન્ટરનેશનલ સીબીએસસી સ્કૂલના રાષ્ટ્રીય ગણીત સંમેલન તેમજ યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને વસંત પંચમીના આ શુભ અવસરે આ ખાસ આયોજન થયું તેની ખુશી વ્યકત કરી હતી.

રાજકોટ પાસે  હડાળા ખાતે આવેલ અર્પિત ઇન્સ્ટિટ્યૂટના સી.બી.એસ.સી. સ્કૂલ ઉદઘાટન, રાષ્ટ્રીય ગણિત સંમેલન તેમજ યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર સમારંભનું મંગલદીપ પ્રગટાવીને ઉદઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિધાર્થીઓને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે, આપણા યુવાનો દુનિયનાની સામે હરિફાઇ કરવા માટે ખુબજ સક્ષમ અને ઉધમી છે અને ખુબજ પ્રતિભાશીલ છે, તેમને જરૂર છે પુરતું વિકાસલક્ષી વાતાવરણ મળી રહે અને ઉંચી ઉડાન ભરી શકે, તેમની આશા અને અપેક્ષાઓ પુર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર કટીબધ્ધ છે.

20190210120344 Img 2879

યુવાનો માટે પોતાની તાકાત અને હુંન્નર વિશ્વને દેખાડી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડીયા, સ્કિલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા જેવી અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મુકી હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિધાર્થી જીવનમાં જીજ્ઞાશાવૃતિ વધારે તીવ્ર હોય તે જરૂરી છે બાળકોને નાનપણથી જ  વિજ્ઞાન અને ગણીત જેવા વિષયોમાં રસ રૂચી વધે, આવા વિષયો વધારે સરળતાથી સમજી શકે અને તેના પ્રત્યે વધુમાં વધુ લગાવ વધે તે માટે સરકાર ધ્વારા વિજ્ઞાન મેળાઓ તેમજ  વિજ્ઞાનોગષ્ઠી જેવા શાળાકિય કાર્યક્રમોનું  રાજય સરકાર દ્વારા   વિશેષ રૂપે આયોજન કરવામાં આવી રહયાનું  જણાવ્યુ હતું.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, વસંતપંચમી એ જ્ઞાનની પંચમી છે. ત્યારે આજના વસંતપંચમીના દિવસે આ જ્ઞાનનાં મહા ઉત્સવનું આયોજન કરવા માટે સંસ્થાને અંભિનંદનનિય હોવાનું અને નવાભારતનાં નિમાર્ણ માટે આવા કાર્યક્રમો ખુબજ ફળદાઇ બની રહેતા હોય છે.

મુખ્યમંત્રીએ રિસર્ચ બેઇઝડ શિક્ષણ પર ભાર મુકતા  જણાવ્યું હતું કે આપણા તત્કાલીન વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઇએ આપેલ  જય જવાન જયકિસાન જયવિજ્ઞાન સુત્ર આવા ઉમદા સંશોધનપુર્ણ કાર્યક્રમો થકિ સાકાર થશે તેવી મને આશા છે.

મુખ્યમંત્રીએ ગૌરવસહ જણાવ્યું હતું કે વિશ્વને ખગોળ વિજ્ઞાનની ભેટએ ભારતની દેન છે. વિજ્ઞાન અને ગણીત વિશ્વને સત્યની નજીક દોરીજનાર માધ્યમ છે. ત્યારે સૌ કોઇએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વ કલ્યાણ અર્થે થવો જોઇએ તેમજ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે પ્રતિભાશીલ યુવા વૈજ્ઞાનિકા ડો. ટી.પી. શર્મા, ડો. મોહરસિંહ સોલંકી, ડો. કે.ભાનુમૂતિ, પ્રો. અજયરાજાને એર્વોડ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં અને તેમને તેમની સફળતા માટે અભિનંદન આપ્યા હતા. વૈજ્ઞાનિકો સર્વે સી. એમ. નૌટિયાલ, જે. જે. રાવલ , બી. એન. રાવે પ્રાસંગીક ઉદબોધનમાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં વિધાર્થીઓને ખુબજ રસાળ પણ સરળ શૈલીમાં વિજ્ઞાન અને ગણિતની રસપ્રદ માહિતી પુરી પાડી હતી.

આ તકે મુખ્યમંત્રી તથા મહાનુભાવોનું અર્પિત પરિવાર તથા વિવિધ રાજયનાં રામાનુજન કલબનાં સભ્યોએ ખુબજ ગૌરવપુર્ણ સન્માન સ્વાગત કર્યુ હતું. જેમાં ડો.મોહનરામ, ડો. ગજેન્દ્ર દેપાલા, ડો. રાજેશ ઠાકુર વગેરે પણ જોડાયા હતાં.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ,અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, જીયુઈઈડીસી –  ગાંધીનગરના ચેરમેન બી.એચ. ઘોડાસરા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી,  પુષ્કરભાઈ પટેલ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, કલેકટર રાહુલ ગુપ્તા ,પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ વિવિધ રાજ્યોમાંથી પધારેલ વૈજ્ઞાનિકો, સ્કૂલ-કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.