Abtak Media Google News

ઘર પાસે ઉભેલા શ્રમિક સાથે ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

ગોંડલ તાલુકાના કંટોલીયા ગામે નજીવી બાબતે ગત મોડી રાત્રે યુવાનની છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ચોકકસ જ્ઞાતિ પ્રત્યે હલકી માનસિકતા ધરાવતા શખ્સ નાસી છુટતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નજીક કંટોલિયા ગામે રહેતા ધીરજલાલ ઉર્ફે ધીરો જીવા સોલંકી નામના કડીયા યુવાનની ગામના જ જીતુ નાથા રાઠોડ નામના દેવીપુજક શખ્સે નજીવી બાબતે છરીના ઘા ઝીંકી દેતા લોહી-લુહાણ હાલતમાં ઢળી પડતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ અજયસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારી દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. કરાવી મૃતકના ભાઈ ધી‚ભાઈ સોલંકીની ફરિયાદ પરથી ગામના દેવીપુજક ધીરો જીવા સોલંકી સામે હત્યાનો અને એટ્રોસીટી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારો ચોકકસ જ્ઞાતિ પ્રત્યે હલકી માનસિકતા ઘટાવતો શખ્સ ચુડી પહેરીને ગામમાં નિકળતો હતો ત્યારે મૃતક ધી‚ભાઈ સોલંકી તેના ઘર પાસે ઉભો હતો ત્યારે ઝઘડો કરી ગળાના ભાગે એક છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું છે. પોલીસે જીતુ નાથા રાઠોડને ઝડપી લેવા ડીવાયએસપી જે.એમ.ભરવાડ સહિતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.