Abtak Media Google News

ઘણા બધા લોકોને ખબર હોતી નથી કે નારિયેરના પાણીમાં પોષકતત્વોનો સારો એવો સ્ત્રોત રહેલો છેે. જે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આવો જાણીએ નારિયેળ પાણીના આવા જ ૭ ફાયદાઓ વિશે……

૧- નારિયેળનું પાણી કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોય છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

૨- ઓછી કેલેરી અને પચવામાં સરળ હોવાના કારણે નારિયેળ પાણી વજન ઘટાડવા માટે આદર્શ અને કામ કરનારુ પીણુ છે. તેમા બાયોએક્ટિવ એન્જાઇમ્સ હોય છે. જે પાચનમાં સહાયક હોય છે.

૩- ખાસ કરીને મેગ્નેશિયમની અછત હોવાના કારણે માઇગ્રેન થાય છે. એક્સપર્ટ્સની સલાહ અનુસાર નારિયેળ પાણી માઇગ્રેનના હુમલાને ઓછો કરે છેે. અને માથાના દુખાવાને પણ મટાડી દે છે.

૪- આ ઉપરાંત બ્લડ સુગરને નિયત્રિંત કરવામાં મદદ‚પ નિવળે છે. તેનાથી ઇન્સ્યુલિનની સંવેદનાશિલતા પણ સુધરે છે.

૫- આયુષ્ય સંબંધિત બિમારીઓને દુર કરવામાં પણ તે સહાયક હોય છે.

૬- નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે જે સોડિયમના નેગેટિવ અસરને સંતુલિત કરને બ્લડ પ્રેશરને ઓછુ કરે છે.

૭- નારિયેળ પાણીમાં સૌઇટોકાઇનિંગ હોય છે જેમાં શરીરને સ્ફૂર્તિ ભર્યુ રાખવાનો ગુણ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.