Abtak Media Google News

આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે. તે પહેલા તેઓ સુરતની મુલાકાત લઈને ખાનપુુર ભાજપ કાર્યાલય જઈ શકે છે. ત્યારબાદ રાજભવનામાં રાત્રીરોકાણ કરશે. આ દરમિયાન મોદી માતા હીરાબાના આશીર્વાદ લેશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 29મીએ ગુજરાતની મુલાકાત લેશે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત આવશે. નારણપુરા વિસ્તારમાં એક વિશાળ જનસભાને સંબોધી મતદાતાઓનો આભાર માનશે.

અમદાવાદની મુલાકાતે આવતા પહેલા વડાપ્રધાન મોદી ગઈકાલની સુરતની ઘટના અંગે દિલસોજી પાઠવવા સુરત પણ જઈ શકે છે. ત્યાં જઈને ટ્યુશન ક્લાસીસીની આગની સંપૂર્ણ ઘટનાની સાથે જવાબદાર કોણ અને રાજ્ય સરકાર અને તંત્રએ કરેલી રાહત બચાવની કામગીરીનું સંપૂર્ણ અહેવાલ પણ રૂબરૂ જઈને સમીક્ષા કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.