Abtak Media Google News

“પ્રવાસન અને રોજગારી-સૌ માટે ઉજળી આવતી કાલ”

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓમા આકર્ષણનું કેન્દ્ર ૫૭૫.૯૧ લાખ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી

દુનિયાના દેશો વચ્ચે્ સાંસ્કૃનતિક, સામાજિક અને  આર્થિક આદાન-પ્રદાન વધે, જેના થકી સમગ્ર વિશ્વહની પ્રગતિ થાય, તેવા શુભ આશયથી સમગ્ર વિશ્વ માં પ્રતિ વર્ષ ૨૭ સપ્ટેામ્બ્રના દિવસે વિશ્વર પર્યટન દિનની ઉજવણી કરવામાં આવે છે.

યુનાઇટેડ નેશન્સો વર્લ્ડમ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવતી આ ઉજવણી અન્વબયે દુનિયાના કોઇ પણ એક દેશને યજમાન બનાવી આ દેશમાં ૨૭ સપ્ટેઓમ્બ રે વિશ્વ  પર્યટન દિનની ઉજવણીને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે પ્રવાસનને લગતા પરિસંવાદો, ચર્ચાઓ, કાર્યશાળાઓ, નિબંધ-વક્તૃત્વય-ચિત્ર સ્પાર્ધાઓ, રેલીઓ, પ્રશ્નો ત્તરરી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પર્યટન થકી તંદુરસ્તધ વૈશ્વિરક સંબંધો અને જવાબદાર વૈશ્વિોક જોડાણો માટેનો યોગ્યો મંચ મળી રહે છે. દિવસેને દિવસે પર્યટન ઉદ્યોગ હરણફાળ ભરી રહયો છે. પર્યટનના નવા-નવા આયામો વિકસી રહયા છે, જેમકે, મેડિકલ ટુરિઝમ, ઇન્ડાસ્ટ્રી યલ ટુરિઝમ, વગેરે.  પ્રવાસ કરવાથી મનુષ્યયની સાહસવૃતિ વિકસે છે, ઉપરાંત આંતરરાષ્ટ્રી ય શાંતિ, સદભાવ અને ભાઇચારામાં વધારો થાય છે. દુનિયાના લોકોનો પરસ્પ રનો સંપર્ક વધે છે, જેને લીધે આંતર સાસ્કૃ તિક સંબંધો અને પારસ્પારિક સમજણ અંગેની નવી દિશા દ્રષ્ટિમાન થાય છે. દર વર્ષે ૧૦ કરોડથી વધુ લોકો પોતાના દેશની સરહદો ઓળંગી અન્યપ દેશોમાં વિહાર કરે છે. આ વિહાર થકી ઔદ્યોગિક વિકાસ દર પણ નવા સીમાચિહ્નો સર કરી રહયા છે. વિશ્વા પર્યટન દિનની ઉજવણીનું આ પણ એક જમા પાસું છે.

Screenshot 1 17

ગુજરાતમાં પર્યટનને ઉદ્યોગ તરીકે વિકસાવવા માટે રાજયસરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રવાસનના મુખ્ય આકર્ષણમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણ મહોત્સવ મુખ્ય રહ્યા છે. સમગ્ર દેશમાં એક માત્ર સિંહ અભ્યાનરણ્યષ એવું ગીર અભ્યાટરણ્યા અને પીરોટન ખાતે આવેલ મરીન નેશનલ પાર્ક ગુજરાતના પર્યટનની શાન છે. રાજયમાં સોમનાથ, ડાકોર, અંબાજી, બેચરાજી, શામળાજી દ્વારકા, માતાના મઢ (આશાપુરા), દાતાર, તુલસીશ્યાામ, અક્ષરધામ, વગેરે જેવા ધાર્મિક સ્થઆળોએ વર્ષપર્યંત યાત્રાળુઓનો ધસારો રહે છે, તો સાપુતારા જેવા ગિરિમથકો પણ પર્યટકોને આકર્ષવામાં સફળ રહયા છે. ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાાન મળવાથી અહીં પણ ઇતિહાસરસિક પ્રવાસીઓની આવન-જાવન વધી છે. પર્યટનના ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે રાજયસરકાર દ્વારા પ્રતિવર્ષ રણોત્સવવની ઉજવણી કરવામાં આવે છે, જેને દેશ-વિદેશના પર્યટકો ઉત્સોહપૂર્વક માણે છે. બીચમાં મુખ્યત્વે માંડવી, ચોરવાડ, માધવપુર, દ્વારકા, દાંડી, પોરબંદર, સોમનાથ તેમજ તિથલના બીજ જયારે હેરિટેજ સાઇટમાં ઇન્દ્રોડા નેચર પાર્ક, લોથલ, ધોળાવીરા અને ગાંધી સર્કિટમાં કોચરબ આશ્રમ, દાંડી, કીર્તિમંદિર, મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ, ગાંધી આશ્રમ, કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા સહીત પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે.

Screenshot 2 9

વિવિધ પ્રવાસન સ્થળે રહેવા, ફરવા માટે હોટેલ તેમજ ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનું માધ્યમ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે વિકાસાર્થે અનેક યોજનાઓ અમલી બનાવી છે જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૧૮-૧૯ માં ૫૭૫.૯૧ લાખ પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યાછે. જે વર્ષ ૨૦૧૭-૧૮ ની સાપેક્ષ ૧૩% વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.