Abtak Media Google News

દાદા ભગવાનની જન્મજયંતિ ઉપલક્ષે અડાલજ ખાતે ઉત્સવમાં જોડાયા મુખ્યમંત્રી રૂપાણી: આકર્ષક અને જ્ઞાનસભર શો નિહાળ્યા: આજના સત્સંગનો વિષય નીતી અને પ્રામાણિકતા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત શનિવારે ‘જોવા જેવી દુનિયા’ની મુલાકાત લીધી હતી. આ ઉત્સવના ભાગરૂપે બનેલા થીમ પાર્કના બે આકર્ષક અને જ્ઞાનસભર શો મુખ્યમંત્રીએ નિહાળ્યા હતા. તેમાંથી એક ૨૦ મિનિટનો શો કર્તા કોણ ? જેમાં ૪ડી એકસપીરિયન્સના માધ્યમથી આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથીની યથાર્થ સમજણ દ્વારા ઉદ્વેગના પ્રસંગોમાં મનની શાંતી પ્રાપ્ત થાય છે અને બીજો ૧૫ મિનિટનો ‘ટુર ટુ મહાવિદેહ’ શો જેમાં ૩ડી પ્રોજેકશન મેપિંગના માધ્યમ દ્વારા ધર્મના મતમતાંતર ટાળીઆત્મધર્મને ઉજાગર કરવાના હેતુથી વર્તમાન તીર્થકર ભગવાન સીમંધર સ્વામીની સાચી ઓળખ મળે છે. બંને શો માણ્યા પછી મુખ્યમંત્રીએ પ્રેઝન્ટેશનના નવીન માધ્યમો વડે લોકોને ગહન સંદેશ પહોંચાડવાના પ્રયાસને વખાણ્યો હતો. તેમજ જોવા જેવી દુનિયા મહોત્સવની વ્યવસ્થા, શિસ્તબદ્ધતા અને સેવાર્થીઓની સમર્પિતતાની પણ પ્રશંસા કરી હતી.

Dji 0542ત્યારબાદ મુખ્યમંત્રીએ દાદા ભગવાન અને પૂજય નીરૂમાની છબીને પુષ્પમાળા અર્પણ કર્યા હતા. તેઓએ પ્રત્યક્ષ જ્ઞાની પૂજય દિપકભાઈને પવિત્રા અર્પણ કરી આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે જ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી પ્રશ્ર્નોતરી સત્સંગ સાંભળ્યો હતો. ત્યારબાદ લગભગ ૩૦,૦૦૦થી પણ વધુ જનમેદનીને સંબોધીને મુખ્યમંત્રીએ દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતી નિમિતે ઈશ્ર્વરપ્રાપ્તિ એટલે કે જન્મ-મરણના ફેરામાંથી આત્માની મુકિત માટે ધર્મ અને સાયન્સ થકી સત્ય તરફ જવા પ્રેરણા આપતા અક્રમ વિજ્ઞાન માટે તથા પૂજય દ્વારા આ પ્રવૃતિને મળતા વેગ માટે અહોભાવ વ્યકત કર્યો હતો.

ગુજરાતની ધરતી ઉપર ઉજવાતા આવા પવિત્ર ઉત્સવ થકી ગુજરાત ‘આઘ્યાત્મિક ચેતના અને દિવ્યતા જગાવનારું ગુજરાત બને’ અને સુરક્ષિત, સલામત, સમૃદ્ધ ગુજરાતમાં સંસ્કાર, સંસ્કૃતિ, શુદ્ધ ભાવના સહિતના ‘શોષણ મુકત અને સમતા યુકત સમાજ’ની રચના થાય તેવી ઉત્કૃષ્ટ ભાવના વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ભવ્ય આયોજન થકી ૨૩ જેટલી થીમ સાથે લોકો સરળતાથી ધર્મની ગ્રહનતા તેમજ આત્માથી પરમાત્મા, જીવથી શિવ, વ્યકિતથી સમષ્ટિની સમજ પ્રાપ્ત કરે છે. આ ૧૦ દિવસનો ઉત્સવ નવા વર્ષે દેશને દિશાદર્શન આપશે. જેમાં આઘ્યાત્મ જે ભારતની તાકાત છે તે બળ પુરુ પાડશે અને આવનારું વર્ષ ભારતના ઋષિમુનિઓ, સાધુ-સંતો અને જ્ઞાનીઓએ આપેલી વિરાસતને ઉજાગર કરનારું બનશે. તેવા ભાવ સાથે મુખ્યમંત્રીએ પૂજયશ્રીને વંદન કરી, જનતાનો આભાર માન્યો હતો.

દીપકભાઈએ પણ રૂપાણી માટે આશીર્વચનો પાઠવ્યા હતા. તેમણે ભારત વર્લ્ડનું આઘ્યાત્મિક કેન્દ્ર બનશે. એવા દાદાના કથનને યાદ કરીને કહ્યું હતું કે, હિન્દુસ્તાન વર્લ્ડનું આઘ્યાત્મિક કેન્દ્ર બનીને રહેશે જ ! તેઓએ ઉમેર્યું હતું કે, અક્રમ વિજ્ઞાન જે જીવનને કલેશ રહિત બનાવનારું છે. તે ભારતના રાજયોના જ નહીં પણ દેશ-વિદેશના લાખો લોકો પામી રહ્યાં છે અને તેવા વિદેશના ૪૦૦૦થી વધુ એન.આર.આઈ અને ફોરેનર્સમાં આ ઉત્સવમાં જોડાયા પણ છે. મુખ્યમંત્રીની આ મુલાકાતથી આઘ્યાત્મના ક્ષેત્રે અક્રમ વિજ્ઞાન થકી જગતમાં સુખ અને શાંતિ ફેલાવવાના આશયને પ્રોત્સાહન મળ્યું હતું. આજના સત્સંગનો વિષય નીતિ અને પ્રામાણિકતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.