Abtak Media Google News

પાંચ વ્યકિતઓ ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયા: વિપ્ર પરિવારમાં અરેરાટી

 

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ ઉપર ડમ્પર અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજયું છે. જયારે અન્ય પાંચ વ્યકિતઓને ઈજા થવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ ઉપરથી ખંભાળીયાથી જોગવડ કાર લઈને આવતા પરીવારને મારૂતિના શો-રૂમ નજીક ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર બેફીકરાઈથી ચલાવી અથડાવી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલ રમીલાબેન જેન્તીલાલ ભટ્ટ (ઉ.વ.૪૦)ને ગંભીર ઈજા થવાથી તેણીનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયું હતું. જયારે સંતોકબેન હસમુખભાઈ ભટ્ટ, જેન્તીભાઈ કરશનભાઈ ભટ્ટ, નીકિતાબેન હસમુખભાઈ ભટ્ટ, વજીબેન રામજીભાઈ જોશી તેમજ નાથીબેન અમૃતલાલ ઠાકરને ઈજાઓ થવાથી સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.