Abtak Media Google News

રાજકોટના સાંધ્ય દૈનિકમાં આગવી ઓળખ બનાવી; સમકાલીન મોબાઇલ ન્યુઝ પેપરના સંપાદક રાજુભાઇના નિધનથી પરિવારમાં ઘેરો શોક

રાજકોટમાં યુવા પત્રકારોને પ્લેટ ફોમ પુરૂ પાડી સાંધ્ય દૈનિકમાં પોતાની અલગ ઓળખ બનાવનાર રાજુભાઇ શાહના અરિહંત ચરણ પામતા અખબાર જગતનો સિતારો અસ્ત થયો છે. જીવદયા અને પ્રકૃતિ પ્રત્યે અત્યંત લગાવ ધરાવતા રાજુભાઇ શાહના નિધનથી સમાચારની સાથે સતત દોડનારના શ્ર્વાસ અચાનક થંભી જતા અખબાર જગતમાં ખોટ પડી છે.

સૌરાષ્ટ્રમાં જીવદયા માટે પ્રેરણાસ્ત્રોત અને વષો સુધી પાંજરાપોળમાં સેવા આપનાર સ્વ.જયંતીભાઇ શાહના પુત્ર રાજુભાઇ શાહ સૌરાષ્ટ૩ ક્રિકેટ એસોઇશનમાં ગવરનિંગ બોડી મેમ્બર તરીકે સેવા આપી છે.

છેલ્લા કેટલાક સમયથી નાતંદુરસ્ત તબીયત બાદ ત્રણ દિવસથી સારવાર માટે સીનર્જી હોસ્પિટલમાં સારવાર બાદ ગઇકાલે સાંજે અંતિમ શ્ર્વાસ લેતા પત્રકાર જગતમાં ઘેરો શોક લાગણી વ્યાપી છે. રાજુભાઇ શાહના નિધન પુત્ર દિવ્યપાલ અને તેજપાલ (કેનેડા) વિલાપ કરતા છોડી ગયા છે.

સ્વ. રાજૂભાઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની શ્રધ્ધાંજલી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનની ઉચ્ચ કાઉસીલના સભ્ય સ્વ. રાજુભાઇ શાહના અવસાનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને ઘરો શોકની લગાવણી વ્યકત કરી શ્રધ્ધાંજલી આપી છે. સ્વ. રાજુભાઇ એસોસિએશનની ઉચ્ચ કાઉસીલનાં સભ્ય તરકે સપ્ટેમ્બર ૨૦૧૯થી સેવા આપતા હતા. સ્વ. રાજુભાઇ શાહનું મંગળવારે ૫૬ વર્ષની વયે અવસાન થયું હતું.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ તથા એસોસિએશનના દરેક સભ્યોએ સઘષ રાજુભાઇ શાહના અવસાન અંગે ઘેરો શોક વ્યકત કરી સદગથના આત્માને ભગવાન શાંતિ આર્પે અને પરિવાર પર આવી પડેલ દુ:ખ સહન કરવાની શકિત આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.