Abtak Media Google News

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિ: પ્રેરણાદાયક લગ્ન પ્રસંગને બિરદાવ્યો

નોવેલ કોરોના વાયરસની મહામારીને નાવા સમગ્ર ભારત દેશમાં લોકડાઉન છે ત્યારે જામનગર ખાતે એક પ્રેરણાદાયી પ્રસંગ ઉજવાયો. જેમાં  જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાના સુપુત્ર હર્ષવર્ધનસિંહ ઝાલા તા રૂષિરાજસિંહ હિંમતસિંહ ચુડાસમાના સુપુત્રી ઇશ્વરબા ચુડાસમાના લગ્ન આશરે ૨૦ વ્યકતિઓની હાજરીમાં યોજાયા હતા.

Meter 1 5

ઉપસ્તિ ૨૦ મહેમાનો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં આવેલ હતું તેમજ નવદંપતિ સહિતના દરેક વ્યક્તિઓએ માસ્ક પહેરી લગ્ન વિધી સંપન્ન કરાઇ હતી. આ લગ્ન પ્રસંગમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્તિ રહ્યાં હતા અને અન્ય નાગરિકો માટે પ્રેરણાદાઇ આ લગ્નોત્સવને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના  બિપેન્દ્રસિંહ  જાડેજા, જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર તા શહેર અગ્રણી  નરેન્દ્રભાઇ સોની ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.