Abtak Media Google News

આમ તો તિલક ( ચાંદલો) સ્ત્રીઑ  માટે એક સુંદરતા નું પ્રતીક ગણવામાં આવે છે પરંતુ એ સિવાય પણ મદિરમાં લોકો તિલક કરતાં હોય છે અત્યારના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.

Tilak Chandlo 1

આપણે ઘણી વાર મંદિરમાં તિલક કરીએ છીએ પરંતુ શું તમને કોઈ વાર આવો પ્રશ્ન થયો છે કે શા માટે કંકુ અને ચંદન દ્વારા જ તિલક કરવામાં આવે છે ?તો ચાલો મિત્રો સૌ પીઆરટીએચએમ હું તમને ચંદન વિષે વાત જાણવું  ભારતીય પરંપરામાં ચંદન એક પવિત્ર ઔષધીય અને ધાર્મિક મહત્વની વસ્તુ છે. પ્રાચીન સમયથી જ અહિયાં ચંદનનો ઉપયોગ ધાર્મિક અને સારવાર માટેની જરૂરિયાતો ની ગણતરીમાં થઇ રહી છે. માથા ઉપર ચંદનનું તિલક લગાવવાની પરંપરા ખુબ જૂની છે. તેની પાછળ નો તર્ક છે કે ચંદનનું તિલક લગાવવાથી એકાગ્રતા વધે છે અને મગજને ઠંડક પહોચાડે છે. પાછળથી તમામ અધ્યયનો થી આ તથ્યોની પુષ્ઠી પણ થઇ છે. માથા ઉપર ચંદન લગાવવાથી માથાના દુખાવાથી છુટકારો મળે છે. તે ઉપરાંત ત્વચા સબંધી તમામ તકલીફો માટે પણ તે રામબાણ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. માટે ચંદનનો ઉપયોગ તિલક તરીકે કરવામાં આવે છે .

Tilak Chandlo 2

આજકાલ ભાગ્યે જ કોઈ પરણિત સ્ત્રીના કપાડમાં તિલક અને માથામાં સિંદુર પૂરેલ જોવા મળે જેમ જેમ આપણે મોડર્ન બનતા જાય છીએ તેમ તેમ આપણે આપની સંસ્કૃતિનું ભાન ભૂલતા જઈ છીએ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.