Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં સરકાર દ્વારા સંપાદીત થયેલી જમીનનું વળતર મેળવવાના હક્કદાર છેલ્લા માલિકને ગણાવ્યા: વળતર ચૂકવવામાં ગરબડ કરનારા અધિકારી, કર્મચારી સામે ફરિયાદ દાખલ કરવાનો પણ હુકમ કર્યો

સરકાર દ્વારા પોતાની વિવિધ યોજનાઓને સાકાર કરવા ખાનગી માલીકીની જમીન સંપાદન કરવામાં આવે છે. આ જમીન સંપાદનના વળતર રુપે જમીન માલીકોને સરકાર દ્વારા આર્થિક વળતર આપવામાં આવે છે. પરંતુ, સરકાર વળતર ચુકવે જયારે સરકારી રેકર્ડ પર માલીક અલગ હોય જયારે વિવાદ થાય છે ખાસ કરીને ગણોતિયાના કેસ, રેવન્યુ ટાઇટલના પ્રશ્ર્નો, સરકારી રેકર્ડ પર ન આવતા માલીકો વગેરે હકકદારો જમીન સંપાદનનું વળતર ચુકવી દેવાયા બાદ પોતાના હકક માટે કાનુની જંગ છેડતા હોય છે. સામાન્ય રીતે વળતર ચુકવવા સમયે વિવિધ સરકારી તંત્રો વચ્ચે સંકલનના અભાવ અને અંદરો અંદરના વિવાદના કારણે આવી કાનુની વિવાદની સ્થિતિ ઉભી થતી હોય છે. જેથી ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે એક મહત્વ પૂર્ણ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકારને કચ્છ જિલ્લાના જમીન સંપાદન વળતરના વિવાદ કેસમાં નવીનતમ માલિકને વળતર ચૂકવવા કહ્યું હતું, જે સરકારે અગાઉના માલિકોને અપાયેલું વળતર પરત લેવા તાકીદ કરી હતી. એડવોકેટ નીરવ સંઘવીએ રાજ્ય સરકારે નવા માલિક ભદ્રેશ શાહને ચુકવણી કરવી જોઇએ તેવો આગ્રહ રાખતા રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે તે ગુરુવારે કોર્ટને જાણ કરશે કે શું તે નવા માલિકને વળતરની સંપૂર્ણ રકમ ચૂકવશે કે નહીં.  અગાઉના જમીનના માલિકો, જેમણે જમીન વળતર સ્વીકાર્યું હતું, તેઓને વહીવટીતંત્ર દ્વારા જેલની સજા કરવામાં આવી છે.  સરકાર દ્વારા થોડા મહેસૂલ અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

7537D2F3 9

આ કેસમાં, શાહે ૨૦૦૬માં કચ્છના લખપત તાલુકાના નાની છાર ગામમાં જમીનનો ટુકડો ખરીદ્યો હતો અને અગાઉના માલિકો, પાટીદાર પરિવારને ચુકવણી કરી હતી.  એક વર્ષ પછી, અધિકારીઓએ ગુજરાત મીનરલ કોર્પોરેશન લિમિટેડ માટે આ વિસ્તારમાં જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરી હતી, શાહને વેચવામાં આવેલ પ્લોટ પણ સંપાદન કરવામાં આવ્યો હતો.  જો કે, ૨૦૧૧માં પ્રક્રિયા પૂર્ણ થયા પછી પેડિયર્સને વળતર ચૂકવવામાં આવ્યું હતું.

શાહે અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તેમને વળતર ચૂકવાયું ન હતું. જેી તેમણે આગ્રહ કર્યો કે અગાઉના માલિકો સામે મહેસૂલ વિભાગે કોર્ટમાં દાવો દાખલ કરવો જોઇએ.  આ માંગ સાથે શાહે ગયા વર્ષે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો.  હાઇકોર્ટે રેકોર્ડ મંગાવ્યા હતા અને સમજણ માટે જિલ્લા કલેક્ટરને સમન્સ પાઠવ્યા હતા. અંતે, હાઈકોર્ટના નિર્દેશોને પગલે સરકારે અગાઉના જમીનમાલિકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી, અને મહેસૂલ અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરી છે. જમીન સંપાદન વળતરના હક્કદાર તેના આખરી માલિક હોવાનું સ્પષ્ટ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદો સરકારી તંત્ર દ્વારા જમીન સંપાદનનું વળતર ચૂકવવામાં તો ગરબડો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાઈકોર્ટે આ કેસમાં આ વિવાદ આચરનારા અધિકારી કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધી કેસ દાખલ કરવાની તાકીદ કરતા આગામી દિવસોમાં અનેક આવા વિવાદી નિર્ણયો કરનારા અધિકારી-કર્મચારીઓના તપેલા ચડી જવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.