Abtak Media Google News

સુનિલ સાથેની કપિલની લડાઇની સોની ચેનલ પણ નારાજ: નવો કોમેડી શો કરવા ગ્રોવરને મળી ઓફર

ભારતીય હાસ્ય અભિનેતા કપિલ શર્મા તેની ગેરવર્તુણકને કારણે ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. ત્યારે થોડા અઠવાડીયા પહેલા શર્માએ તેના સુનીલ ગ્રોવર સાથે મેલબોર્ન મુંબઇ ફલાઇટમાં મીસબીહેવ કર્યુ હતું. સુનીલ ગ્રોવર સાથેની લડાઇ બાદ કપિલ શર્માનો સમય સારો ચાલી રહ્યો નથી. સુનિલ ગ્રોવર, અલી અસરગ, ચંદન પ્રભાકરના ધ કપિલ શર્મા શો માંથી બેકઆઉટ કર્યા બાદ સોની ટીઆરપી ઘટી ગઇ છે. કપીલ અને ગ્રોવર વચ્ચેની ટકકરથી શું સોની ચેનલ ઉપર આ બંને હાસ્ય અભિનેતાના અલગ અલગ કોમેડી શો પ્રસારિત થશે ?

સુનીલ ગ્રોવરના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના બન્યાના બે દિવસ પછી કપીલે સુનીલ પાસે માફી માંગી હતી. તે પણ એટલા માટે કે, કપિલ તેના ચાહકો સામે સારો બન્યો રહે અને લોકો સામે સારી છાપ ઉભી કરી શકે. સુનિલ ગ્રોવર શોમાં પાછા ફરવાના મુડમાં જણાયા ન હતા.

આમ, સુત્રોના જણાવ્યા મુજબ ચેનલ પણ સુનીલ ગ્રોવરની સાથે કપિલની લડાઇથી નારાજ છે. ચેનલ હવે સુનીલ પર ફોકસ કરવા માંગે છે. તેમની સાથે એક નવો શો શરુ કરવા માંગે છે. સુનીલને અન્ય ચેનલો તરફથી પણ ઓફરો મળી છે. હવે, જોવાનું રહ્યું કે: શું સોની ચેનલ  ઉપર જ કપિલ અને સુનીલના અલગ અલગ શો ? પ્રસારિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.