Abtak Media Google News

૧૫ વર્ષીય પુત્રી, પત્નિને મારી કૃનાલે આત્મહત્યા કરી: કૃનાલે અગાઉ વાત કરી હોત તો પ્રેમિકા સાથે લગ્ન કરાવી દેત: કૃનાલની માતા

ઘણાં લોકોની માનસિકતા હોય છે કે ભુત પ્રેત માત્ર કથા-કહાનીઓમાં હોય છે પણ પ્રેતાઆત્માનો જેને આભાસ થાય છે તેને જ વિશ્વાસ હોય છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા હરિદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ત્રિવેદી પરિવારના સામુહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુનાલ ત્રિવેદી અને તેની પત્નિએ ૧૫ વર્ષીય પુત્રીને લટકાવી પોતે બંનેએ આપઘાત કર્યો હતો. પ્રેમ-પ્રેતઆત્મા અને લાગણીના સંબંધોએ ત્રિવેદી પરિવારનો ભોગ લીધો હતો.

મર્ડર મિસ્ટ્રી સુસાઈડ કેસમાં કાળો જાદુ હાવિ થયો હતો. જોકે કુનાલની પ્રેમિકા અંગેનું રહસ્ય અકબંધ રહ્યું હતું. મુળ કપડવંજના કુનાલ બિઝનેસમેન હોવાથી તેને અવાર-નવાર મધ્યપ્રદેશ જવાનુ થતું હતું. ઈન્દોરમાં કોલેજ દરમ્યાન કુનાલ એક યુવતીના પ્રેમમાં પડયો હતો.

પણ વીસ વર્ષ પહેલા કુનાલની સગાઈ કવિતા સાથે થવાની વાત માલુમ પડતા કુનાલની પ્રેમિકાએ આપઘાત કર્યો હતો. કુનાલની માતાના કહેવા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી કુનાલનો સ્વભાવ ચીડિયો બની ગયો હતો. તે ઘણી વખત એકાંતમાં પ્રેમિકાની આત્મહત્યા અંગે બોલ બોલ કર્યા કરતો હતો અને તેથી તેની પુત્રી અને પત્નિ સાથેનું તેનું વલણ પણ બદલાયું હતું.

છેલ્લા કેટલાક સમયથી ઘરમાં સતત તણાવનું વાતાવરણ હતું. પોલીસ તપાસ મુજબ સગા-સંબંધીઓ અને પાડોશી પાસેથી પ્રેમિકાના પ્રકરણની વાત મળી હતી ત્યારે પોલીસને કવિતાને એક સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે કોઈ યુવતીની ખરાબ શકિત તેને હેરાન કરી રહી હોવાનો આભાસ થતો હતો. કાળા જાદુ અને પ્રેતઆત્માની પિંજવણીથી પરિવાર બરબાદ થઈ ગયો હતો. માટે કુનાલ આવેશમાં આવી પોતાના આખા પરીવારને મારી નાખે છે પણ તેની માતા જયશ્રી બચી જાય છે.

તેની માતા કહે છે કે જો કુનાલે અમને તેની પ્રેમિકા વિશે કહ્યું હોત તો તેઓ કુનાલના લગ્ન પણ તેની પ્રેમિકા સાથે કરાવી દેત. કોસ્મેટીકના વેપારી કુનાલને ૧૫ વર્ષિય પુત્રી ‘શ્રીન’ હતી. ડીસીપી નીરજ બાદગુજરે કહ્યું હતું કે, મેડિકલ પરિક્ષણ મુજબ કવિતા, શ્રીન અને જયશ્રીને ચામાં ભેળસેળ કરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કુનાલ પોતે ફાંસી પર લટકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.