Abtak Media Google News

પશ્ચિમ રેલ્વે એ, રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે, કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં જરૂરી ચીજવસ્તુઓ સતત ઉપલબ્ધ કરાવવામાં આવે તે મોટા પાયે ખાતરી આપવાનું ચાલુ રાખ્યું છે. પશ્ચિમ રેલ્વે માટે સન્માનની બાબત છે કે તે અત્યંત આવશ્યક દવાઓ અને તબીબી સાધનો સહિત વિવિધ આવશ્યક ચીજોની સપ્લાય સુનિશ્ચિત કરીને રાષ્ટ્રને તેની મહત્વપૂર્ણ સેવાઓ પ્રદાન કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. પશ્ચિમ રેલ્વે એ 23 માર્ચ 2020 ના રોજ જાહેર કરાયેલ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના 100 દિવસ 30 જૂન 2020 સુધી પૂર્ણતાના સમયગાળા દરમિયાન, દેશના જુદા જુદા ભાગોમાં તેની ટાઈમ ટેબલ્ડ પાર્સલ વિષેશ ટ્રેનો ચલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો,  જે સતત કાર્યરત છે.

આમાંથી બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલ્વે થી 1 જુલાઈ 2020 ના રોજ રવાના થઈ હતી, જેમાં પોરબંદરથી શાલીમાર અને ઓખા થી ગુવાહાટી સુધીની પાર્સલ વિશેષ ટ્રેનોનો સમાવેશ થાય છે.પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, 23 માર્ચ થી 30 જૂન, 2020 સુધીના 100 દિવસના લોકડાઉનના શતાબ્દી સમયગાળા દરમિયાન, 68 હજાર ટનથી વધુ વજનની  આવશ્યક ચીજવસ્તુઓ પશ્ચિમ રેલ્વે ની 37૨ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા દેશના વિભિન્ન ભાગોમાં પરિવહન કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે શામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે 21.89 કરોડ રૂપિયા રહી છે છે.

આ અંતર્ગત આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા 51 દૂધની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 38 હજાર ટનથી વધુનું ભારણ હતું અને વેગનનો 100% ઉપયોગ થી આશરે 6.59 કરોડની આવક પ્રાપ્ત થઈ. તેવી જ રીતે, 26500 ટનથી વધુ વજન ધરાવતી 313 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેના દ્વારા રૂ .13.55 કરોડ ની આવક થઈ. આ સિવાય 3534 ટન વજનવાળા 8 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી રૂ. 1.76 કરોડ થી વધુ ની આવક થઈ છે. 22 માર્ચ થી 30 જૂન 2020 સુધીના લોકડાઉન સમયગાળા દરમિયાન , પશ્ચિમ રેલ્વે દ્વારા   ગુડ્ઝ ટ્રેનો  ની કુલ  7882    રેકનો ઉપયોગ  16.47  મિલિયન  ટન   આવશ્યક

ચીજવસ્તુઓની સપ્લાય માટે કરવામાં આવ્યો છે. 15,503 ગુડ્ઝ ટ્રેનો ને અન્ય ઝોનલ ટ્રેનો સાથે બદલી કરવામાં આવી છે, જેમાં 7767 ટ્રેનોને સોંપવામાં આવી છે અને 7736 ટ્રેનોને વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઇ જવામાં આવી છે. પાર્સલવેન/રેલ્વે મિલ્કટેન્ક (આરએમટી) ના 373  મિલેનિયમ પાર્સલ રેક્સ દેશના વિવિધ ભાગોમાં માંગ મુજબ દૂધ પાવડર, પ્રવાહી દૂધ અને અન્ય સામાન્ય ગ્રાહક માલ જેવી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે મોકલવામાં આવ્યા હતા.

લોકડાઉનને કારણે નુકસાન અને રિફંડ ચૂકવણી

કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલ્વે પરની કુલ આવકની ખોટ રૂ .1541 કરોડ થી વધુ થઈ છે, તેમાં પરા વિભાગ માટે 223.63 કરોડ રૂપિયા અને નોન-પરા વિભાગ માટે 1317.39 કરોડ રૂપિયાનું નુકસાન શામેલ છે. આ હોવા છતાં, અત્યાર સુધીની ટિકિટ રદ કરવાના પરિણામે, પશ્ચિમ રેલ્વેએ 378.5૨ કરોડ રૂપિયા રિફંડ રકમની પરત સુનિશ્ચિત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, આ રીફંડ રકમમાં, એકલા મુંબઇ ડિવિઝને 179.42 કરોડ રૂપિયાથી વધુની રિફંડ ચુકવણીની ખાતરી આપી છે. અત્યાર સુધીમાં, 58.04 લાખ મુસાફરોએ આખી પશ્ચિમ રેલ્વે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.