Abtak Media Google News

લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના ગૃહવિભાગે 18 આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. જે અંતર્ગત પશ્ચિમ કચ્છના પોલીસ વડાની ડીઆઈજી રેન્કમાં બઢતી સાથે અમદાવાદમાં બદલી કરાઈ છે. એસપી મહેન્દ્ર એસ. ભરાડાની અમદાવાદના સેક્ટર-2માં એડિશનલ કમિશનર ઓફ પોલીસ (એસીપી) તરીકે બદલી કરાઈ છે.

તેમના સ્થાને અમદાવાદના ઝોન-6ના ડીસીપી સૌરભ તોલંબિયાની પશ્ચિમ કચ્છ એસપી તરીકે નિમણૂંક કરાઈ છે.દરમિયાન,પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતાં ડીવાયએસપી જે.કે. જયસ્વાલની ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમના પીઆરસી સેલમાં બદલી કરાઈ છે. તેમના સ્થાને અમરેલીના DYSP દેસાઈને કચ્છમાં મુકાયા છે. તો, અંજારના પીઆઈ એચ.એલ.રાઠોડને ડીવાયએસપી પદે બઢતી અપાઈ રાજકોટના મદદનીશ પોલીસ કમિશનર તરીકે મુકાયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.