Abtak Media Google News

સૌની યોજના અંતર્ગત રાજકોટવાસીઓને અતિપ્રિય એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાના શુકનવંતા કામનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જૂનના રોજ રાજકોટના આંગણે પધારી રહ્યા છે. ત્યારે પ્રધાન મંત્રીને વધાવવા રાજકોટમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભાજપના કોર્પોરેટરોએ પોતાના નિવાસ સ્થાન તથા વ્યાવસાયીક સ્થળોએ શુકનવંતી રોશની કરી છે. પૂવ કોર્પોરેટર હરીવાલા ડાંગર એસ્ટેટ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર અને આરોગ્ય સમિતિના વાઈસ ચેરમેન શિલ્પાબેન દિનેશભાઈ જાવીયાએ પોતાના નિવાસ સ્થાને રોશની કરી છે. ગુજરાત મ્યુનીસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ ગઈકાલે હરી વાલાના ઘેર જઈ નિરીક્ષણ કર્યું હતુ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.