Abtak Media Google News

અમેરિકા જયોજીયા રાજયના સવાનાહ સીટી ખાતે વીસ એકરમાં પાણીના વિશાળ સરોવર સહિત પચાસ એકરમાં પથરાયેલ સ્વામિનારાયણ ગૂરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીની નૂતન શાખા સ્વામિનારાયણ સનાતન મંદિરમાં શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સાથે હિન્દુ ધર્મની તમામ ધારાઓનાં સમન્વય કરતા દેવોના વિવિધ સ્વરૂપો પધરાવવામાં આવેલ.

જેમાં મુખ્ય સિંહાસનમાં ભગવાન સ્વામિનારાયણ, બાજુમાં લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, અંબામા, ઉમૈયામાં, ગણપતિજી,હનુમાનજી, સૂર્યનારાયણ દેવ વગેરે દેવો પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રતિષ્ઠા પ્રસંગે સહાયક તરીકે ગયેલ એસજીવીપી ગૂરૂકૂલના સંતોમાંથી ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કૃષ્ણજીવનદાસજી સ્વામી, વેદાંતસ્વરૂપદાસજી સ્વામી અને કુંજવિહારીદાસજી ચાર સંતો પરત આવતા એરપોર્ટ ઉપર સંતો અને વિદ્યાર્થીઓને ભાવભીનું સ્વાગત કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.