Abtak Media Google News

સરદાર સરોવર નર્મદા ડેમ સાઇટ પર વિશ્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે પ્રસિદ્ધ થયેલ છે જેનું લોકાર્પણ આગામી એકત્રીસમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે થવા જઇ રહ્યું છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા અને ભાજપ સંગઠન દ્વારા આ પ્રતિમાને રથયાત્રા કાઢવામાં આવેલ છે જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના દરેક ગામડાઓમાં અમરેલી જિલ્લા ભાજપના સંગઠનના તેમજ રાજ્ય સરકારના વિભાગોના કર્મચારીઓ દ્વારા ગામડે ગામડે જઈને એકતાના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે.

આ એકતા રથયાત્રા આજ રોજ રાજુલા તાલુકાના ભેરાઇ ગામે આવેલ હતી જેને ગ્રામ પંચાયતના સરપંચ શ્રીબાઊભાઇ દ્વારા આવકારેલ હતી આ એકતા રથયાત્રામાં જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઇ ખુમાણ રાજુલા ભાજપ પ્રમુખ શ્રી ભોળાભાઇ તથા માજી ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ટીડીઓ શ્રી ત્રિવેદી તથા તાલુકા પંચાયત તેમજ આંગણવાડી અને શિક્ષણ વિભાગના મણીબેન સહિતનો સ્ટાફ હાજર રહેલ હતો આ એકતા રથયાત્રામાં  માધવીબેન દ્વારા લેવામાં આવેલ હતા અને મોટી સંખ્યામાં ભૈરવના ગ્રામજનો હાજર રહેલ હતા

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.