Abtak Media Google News

આયુર્વેદિક ડોકટર જયેશભાઇ પરમાર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની સરળ ટીપ્સ આપશે

વર્તમાન પરિસ્થિતિમાં શરીરની સ્વસ્થતા જાળવી રાખવા માટે “ઈમ્યુનીટી જ અકસીર સાબિત થઈ છે ત્યારે આયુર્વેદિક ઉપચારોથી ઈમ્યુનીટી કેવી રીતે વધારી શકાય તે માટે  રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા એક અતિ ઉપયોગી વેબીનારનું આયોજન તારીખ ૦૩ સપ્ટેમ્બર, ગુરુવારના રાત્રે ૯.૦ વાગ્યાથી ફેસબુક પરથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પેઇજ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરની પેઈજ પર લાઈવ કરવામાં આવશે.ઉપરાત યુટયુબ પરથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ચેનલ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.આ વેબીનારમાં ઈમ્યુનીટી વધારવા માટેની સરળ ટીપ્સ રાજકોટના ખુબજ જાણીતા આયુર્વેદિક ડોક્ટર જયેશભાઈ પરમાર તેમની વિશિષ્ટ શૈલીમાં આપશે. ડો. જયેશભાઇ પરમાર હાલ ગુજરાત સરકાર માં વિભાગીય નાયબ નિયામક (આયુષ) તરીકે સેવાઓ આપી રહ્યા છે. રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે તેમણે ઘણા વરસો સુધી વૈદ્ય પંચકર્મ તરીકે સેવાઓ આપી છે અને અસંખ્ય દર્દી ઓ,એમની સારવારથી હઠીલાં દર્દોને હરાવીને સ્વસ્થ થયા છે.

ઉપરાંત સરકારી આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લઇ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રાજકોટ શહેરમાં ચાર અલગ-અલગ સ્થળ પર ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને લગભગ દરરોજ એકાદ હજાર લોકો ને ઉકાળો પીવડાવવામાં આવી રહ્યો છે.અત્યાર સુધીમા લગભગ ૨૫૦૦૦ લોકોએ આ સેવાનો લાભ લીધો છે.

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ રોટેરીયન મેહુલ નથવાણી તથા સેક્રેટરી રોટેરીયન નિલેશ ભોજાણી દ્વારા જાહેર જનતાને મોટી સંખ્યામાં આ વેબીનારનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.