Abtak Media Google News

સમાજવાદી પાર્ટીમાં પ્રકાશ છૈયાની સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી તેમજ પ્રદેશ મહાસચિવ તરીકે નિમણુંક કરતા પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહજી યાદવ

સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહજી યાદવ દ્વારા આજરોજ પ્રેસ મીટ યોજાઇ હતી.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ ના ઉપપ્રમુખ અને રાજકીય આગેવાન પ્રકાશભાઇ છૈયાને સમાજવાદી પાર્ટીમાં સમાવેશ કરી સમાજવાદી પાર્ટીમાં પ્રદેશ મહાસચિવ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રભારીની અતિરિકત જવાબદારી સોંપી છે. સુરેન્દ્રસિંહજી યાદવ એ આ જવાબદારી આપીને પાર્ટીમાં અને ગુજરાતમાં સંગઠન કરીને રાષ્ટ્રીય અઘ્યક્ષ અખિલેશ યાદવ ના હાથ મજબુત કરવા તેમજ પાર્ટીનું સંગઠન  મજબુત કરીને આવનારા સમયમાં સમાજવાદી પાર્ટીનું પ્રભુત્વ સૌરાષ્ટ-કચ્છ તેમજ ગુજરાતમાં દેખાય અને લોકોને પડતી મુશ્કેલીમાં સાથે ઉભા રહી લોકોના કામ કરી લોકોના દિલમાં જગ્યા બનાવવા સંકલ્પ કર્યો છે.

7537D2F3 16

સમાજવાદી પાર્ટી ગુજરાતના સંગઠનમાં નવા યુવા ચહેરાઓ ને લાવી યુવાઓનું નેતૃત્વ વધાર્યુ છે. જેમાં અમદાવાદનાં જીલ્લા પ્રમુખ રાકેશ યાદવ, જામનગર જીલ્લા પ્રમુખ હેમંતભાઇ મેઢ, જામનગર જીલ્લા મહિલા પ્રમુખ નમીતા શુકલા, રાજકોટ સીટી સ્ટુડન્ટ સેલ પ્રમુખ દર્શિત પાટડીયા, રાજકોટ સીટી સ્ટુડન્ટ સેલ ના ઉપપ્રમુખ  પિયુષ જલુ જેવા પ્રતિભાવાન, કર્મઠ, સમાજસેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાઓ ને પાર્ટીનાં સંગઠન ની જવાબદારી સોંપવામાં આવી છે

આજે લોકો સરકારના વિરોધમાં રોડ પર છે. લોકોનાં મૌલિક અધિકારોનું હનન થઇ રહ્યું છે. પણ આ સરકાર સત્તાના મદમાં સામાન્ય લોકોને જેમણે આ સરકારને ચુંટી છે તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા.પ્રેસ-કોન્ફરન્સમાં ગુજરાતના નેતા તથા પદાધિકારીઓ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ નયના પરમાર, પ્રદેશ સચિવ નીતીન ત્રિવેદી, મહીલા મહાસચિવ હંસાબેન અસોડા, અમદાવાદ જીલ્લા મહીલા પ્રમુખ દિવ્યાબેન ત્રિવેદી ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.