Abtak Media Google News

પ્રમુખ સ્વામી મહારાજ એટલે પાંચ જ વર્ષમાં દિલ્હી અક્ષરધામનું દિવ્ય સર્જન કરનાર વિશ્વકર્મા ભગવાનના દેવદૂત

અહંશૂન્યતા એટલે નિર્માનીપણું, પરમાત્માના સકલ સદગુણોનો સરવાળો આ એક જ સદગુણમાં સમાઈ જાય છે. કદાચ એટલે જ સકલ સદગુણોમાં મહર્ષિ વેદ વ્યાસજીએ એનો ક્રમ સર્વી છેલ્લે મુક્યો હશે. આ જ સદગુણી સંતત્વની સાચી પ્રતીતિ આવે છે. અહંશૂન્યતા એટલે જ્યાં ‘હું’ ભાવનો પ્રલય થઇ ગયો છે. પ્રમુખસ્વામી મહારાજ એ કક્ષાએ બિરાજતા જ્યાં હું ભાવનું કોઈ અસ્તિત્વ માત્ર નથી. અને તેમાં પણ સૌથી વધુ આકર્ષક છે એમનું અહંશૂન્ય ભક્તહૃદયી વ્યક્તિત્વ. નમ્ર અને સરળ. સહજ અને પારદર્શક. મન-મોટપની કોઈ આશા-અપેક્ષા જ નહિ.

ગુરુપદે આવ્યા પછી એકપણ દિવસ એવો નહિ વિત્યો નહિ હોય કે જે દિવસે એમનું સન્માન, બહુમાન કે અભિવાદન ન કરાયું હોય, એમની ઉપસ્થિતિમાં જ એમનો મહિમા ગવાયો ન હોય. બ્રિટીશ પાર્લામેન્ટી યુનાઈટેડ નેશન્સ સુધી ! બિલ ક્લિન્ટની લઇ બહરીનના શેખ બિન સલમાન સુધી ! જગતનો કોઈપણ માનવી ચકિત થઇ જાય એટલું કાર્ય કર્યા પછી સમાજનાં તમામ સ્તરોનો અપાર આદર મેળવ્યા પછી, વિશ્વનાં અનેક માંધાતાઓના બહુમાન મેળવ્યા પછી પણ સ્વામીનો તેના પ્રત્યે પ્રતિભાવ કેવો હોય છે !!! મીણપરી પાણી સરકી જાય તેવો. કારણ ? કારણ કે ‘આ મેં કર્યું છે’ તેવો ભાવ જ નથી. હંમેશા માત્ર એક જ વાત : ‘કર્તા તો માત્ર ભગવાન અને ગુરુ જ છે, આપણાથી તો શેકેલો પાપડ પણ ભંગાય નહિ.’

સન ૧૯૯૪ના રોજ મદ્રાસમાં અહીના અગ્રણી બિલ્ડર અને જૈન બિરાદર કાંતિભાઈ કામદારે સ્વામીને કહ્યું: ‘પંચમકાળમાં જેમ ર્તીંકરને મોકલ્યા એમ આ કલિકાલમાં ભગવાને આપને મોકલ્યા છે. અત્યારે ભારતમાં સારામાં સારું કાર્ય કર્યું હોય તો તે આપ જ છો.’ સ્વામી કહે : ‘અમે તો સેવક છીએ, કર્તા-હર્તા ભગવાન છે.’

સમગ્ર વિશ્વને પ્રેરણા આપતું એક અણમોલ નજરાણું એટલે સ્વામિનારાયણ અક્ષરધામ, જેને નિહાળીને મોટા મોટા માંધાતાઓ પણ નતમસ્તક થઇ જાયછે અને પૂછે છે, ‘માત્ર પાંચ જ વર્ષમાં આ દિવ્ય સર્જન સાકાર કરનાર વિશ્વકર્મા કોણ છે ? સ્વયં ભગવાન કે એમના દૂત ?’ સન ૨૦૦૬માં સુરત જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ કે. જી. જોશીએ સ્વામીને કહ્યું, હમણાં અહી માંગરોળની કોર્ટના ઉદઘાટનમાં ગુજરાતના ચીફ જસ્ટિસ ભવાનીસિંહ આવ્યા હતા. તેઓએ મને વાત કરતા કહ્યું, ‘હમણાં દિલ્હીમાં દરેક રાજ્યના ચીફ જસ્ટિસની એક કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પ્રવચનમાં કહ્યું કે વિજ્ઞાન જે ની કરી શકતું એ પ્રમુખસ્વામીની શક્તિી ઇ શકે છે, એનો મૂર્તિમાન દાખલો અક્ષરધામ છે.’ આ સાંભળતા જ સ્વામીએ કહ્યું : ‘ભગવાન સિવાય કાંઈ ઇ શકતું નથી.’ અને સ્વામીએ પોતાના માટે મળેલા માનનોઘડો ભગવાન પર ઢોળી દીધો.અક્ષરધામ નિહાળીને પ્રભાવિત તાં સ્ટોક હોલ્ડિંગ ઇન્ડિયાના ચેરમેન આર. જયરામનજીએ સ્વામીને કહ્યું : ‘આપ તો સાક્ષાત ઈશ્વર હૈ.’ સ્વામીએ સહજ નમ્રતાી કહ્યું,‘નહીં, નહીં. હમ તો સેવક હૈ.’ ખરેખર સ્વામી અહંશૂન્યતાના શિખરે બિરાજતા હતા તેવી પ્રતીતિ થાય છે.

જ્યાં ‘હુ’ ની જ્યાં ‘મારું’ ની ત્યાં અહંકાર કેવી રીતે હોય ? ત્યાં ઉદ્વેગ કેવી રીતે હોય ? ત્યાંતો નરી પ્રફુલ્લિતતા, નરી હળવાશ, નર્યો આનંદ જ હોય ! સ્વામીના સમગ્ર જીવનમાં દેખાઈ આવતું. સ્વામીને મળતા જણાઈ આવતું કે આ સંતની પાસે ભગવાન પ્રગટ હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.