Abtak Media Google News

લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે બ્લડ પ્રેશર કાબુમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા કિસ્સામાં દર્દીને ઘણા લાંબા સમય સુધી તેને બ્લડ પ્રેશરની બીમારી છે તે ખબર જ નથી પડતી. બ્લડ પ્રેશરની સારવારમાં જો મોડું થાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકની સંભાવના વઘી જાય છે. જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં આ દસ ફેરફાર કરશો તો આસાનીથી તમારું બ્લડ પ્રેશર કાબુમાં રાખી શકશો.

કસરત: દિવસનો ઓછામાં ઓછો અડધો કલાક કસરત માટે ફાળવવાનો નિયમ કરો. ચાલવા જાઓ, જોગિંગ કરો, સ્વિમિંગ, સાઈકલિંગ કે ડાન્સ કરો પણ કંઈ શારીરિક કસરત કરો. કસરત બ્લડ પ્રેશર વધતું અટકાવે છે.

સ ન લો: સ્ટ્રેસ કે તણાવને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે તે વાત જગ જાહેર છે. સ્ટ્રેસને કારણે આડુ અવળુ ખવાઈ કે પીવાઈ જાય છે કે પછી સ્મોકિંગની પણ આદત લાગી જાય છે. આ કારણોસર બ્લડપ્રેશર વધે છે. આથી જ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો સ્ટ્રેસથી દૂર જ રહો. દિવસમાંથી ૧૫ મિનિટ શાંતિથી બેસવાની અને પ્રાણાયમની આદત પાડો.

ભોજનમાં મેગ્નેશિયમને સ્થાન આપો: મેગ્નેશિયમ બ્લડપ્રેશર ઓછું કરવામાં મદદરૂપ બને છે. રિસર્ચ મુજબ જે લોકો વધુ મેગ્નેશિયમ લે છે તેમને બ્લડપ્રેશરનું જોખમ ૩૩ ટકા ઘટી જાય છે. મેગ્નેશિયમ સિંગદાણા, તેલિબીયા, લીલાપાંદડા વાળા શાકભાજી અને ડાર્ક ચોકલેટમાંથી મળે છે.વજન ઘટાડો: તમારું વજન વધે તે સાથે જ બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધે છે. વજન વધારાને કારણે ઊંઘમાં શ્વાસ લેવામાં ખલેલ પડી શકે છે જેને કારણે પણ હાઈપર ટેન્શન કે બ્લડ પ્રેશર વધી જાય છે. આથી તમારું બોડી માસ ઇન્ડેક્સ ચેક કરાવો. જે પુરૂષોની કમરનો ઘેરાવો ૪૦ ઇંચ કરતા વધારે હોય અને સ્ત્રીઓનો કમરનો ઘેરાવો ૩૫ ઇંચ કરતા વધારે હોય તેમને બ્લડ પ્રેશરનું જોખમ વધારે હોય છે.મીઠાનો વપરાશ ઘટાડો: પુખ્ત વયના લોકોએ દિવસ દરમિયાન ૬ ગ્રામ એટલે કે લગભગ એક ટેબલ સ્પૂનથી વધુ મીઠું (નમક) ન ખાવુ જોઈએ. ૫૦ વર્ષથી વધુ વયના લોકો, ખાસ કરીને ડાયાબિટીસ અને કિડનીના રોગથી પીડાતા દર્દીઓએ તો મીઠાનો વપરાશ ખાસ ઘટાડી નાંખવો જોઈએ. તેમણે શક્ય તેટલા ઓછા પ્રોસેસ્ડ ફૂડ ખાવુ જોઈએ અને ભોજનમાં શક્ય ત્યાં સુધી મીઠુ ઉમેરવાનું ટાળવુ જોઈએ.પૂરતો સૂર્યપ્રકાશ લો: અભ્યાસ મુજબ સૂર્યપ્રકાશ લેવાથઈ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ વધે છે જે ધમનીઓને પહોળી કરે છે. વિટામીન ડીને કારણે બ્લડપ્રેશર નીચુ જાય છે અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.