Abtak Media Google News

માધવપ્રિયદાસજી સ્વામી

સ્વામીના હસ્તે કોવાયા ગામે પાણીની યોજનાનું ઉદઘાટન

જુનાગઢ વિસતારના જાફરાબાદ પાસેના કોવાયા ગામે શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ના અધ્યક્ષ પરમ પૂજય માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પાણીની યોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આહીર સમાજના પ્રમુખ બાધાભાઈ લાખણોતરા, મીઠાભાઈ લાખણોતરા, ગામના સરપંચ બાબુભાઈ લાખણોતરા, ઉપસરપંચ ઝીણાભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો તથા દુલાભાઈ ભીખાભાઈ, કાળુભાઈ જામકાના શાર્દુલ ભગત તથા રાણીંગ આતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાધાભાઈના કુવામાં ભગવાને ખુબ સારું મીઠું પાણી આપ્યું છે. એમણે ઉદાર દિલે પોતાના ખર્ચે એક વરસ સુધી આખા ગામને પાણી પુરુ પાડવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

કોવાયામાં મોટાભાગે આહીરોની વસ્તી છે. આ ગામમાં વર્ષોથી ચુંટણી થઈ નથી. આખું ગામ વર્ષોથી સમરસ છે. આશરે સવા બસો વર્ષ પહેલા આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠવર્ણી વેશે પધાર્યા હતા. ગામના પાદરમાં કૂવે સ્નાન કર્યું હતું. અાજે પણ ગમે તેવા કાળ-દુશ્કાળમાં પણ આ કુવાનું પાણી ખુટતુ નથી. આ કુવામાં કયારેય કોઈ દુર્ઘટના બની નથી. ગામના લોકો આને ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ માને છે. આ પ્રસંગે પૂજય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં પાણીનું દાન કરી બાધા આતાએ મહત્વની સેવા કરી છે. પાણી ભગવાનું વરદાન છે. એ વેડફાય નહીં એ જોવાની આપણી ફરજ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.