Abtak Media Google News

પાઇપલાઇન બદલવાની કામગીરીના કારણે પાણી વિતરણ પર કાપ : વીસીપરામાં સેવાભાવી પરિવાર દ્વારા ટેન્કર મારફતે પાણીનું વિતરણ વાંકાનેર : વાંકાનેરમાં પાણીની લાઈન બદલવાની હોવાથી આગામી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. જોકે અગાઉથી જ લોકોને પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે. ત્યારે વધુ ૩ દિવસ પાણી બંધ રહેવાથી લોકો ચિંતાતુર બન્યા છે.

પતારીયા બ્રિજનું કામ ચાલુ હોવાથી મચ્છુ એક ડેમ  થી વાંકાનેર નગરપાલિકા સુધી આવતી પાણીની લાઈન બદલાવાની હોય જેથી આવતા ત્રણ દિવસ સુધી વાંકાનેરમાં પાણી વિતરણ બંધ રહેશે. તેમ જણાવાયું છે. અગાઉથી જ વાંકાનેરમાં પાણી પ્રશ્નએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેવામાં વધુ ત્રણ દિવસનો પાણી કાપ મૂકવામાં આવ્યો હોવાથી લોકોની મુશ્કેલી વધી છે.

વાંકાનેરના વિશીપરા વિસ્તાર મા છેલ્લા ૪ દિવસથી પાણી નથી આવેલ તથા હજુ ૩ દિવસ પાણી નહીં આવે તેવી વાંકાનેર નગરપાલીકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.ત્યારે પાણી માટે વલખાં મારતા વિશીપરા વિસ્તારના રહેવાશીઓને પઢિયાર પરીવાર દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.