Abtak Media Google News

ચોકીદારને બંધક બનાવી લુંટારુઓએ ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી તબીબના મકાનમાંથી રોકડ, ધરેણા અને કારની લુંટ: સીસીટીવીના આધારે તપાસ

ભાવનગર જીલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ર૪ કલાકમાં ત્રણ લોથ ઢળી છે. જેમાં વલ્લભીપુર નજીક ધરાર આડા સબંધમાં ભાણેજે મામી-ભાણેજને મોતને ઘાટ ઉતાર્યા છે. જયારે ભાવનગરના કાળુભા રોડ પર આવેલા દવાખાનાના ચોકીદારની ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી રોકડ સોનાના ધરેણા અને કાર મળી રૂ ૮ લાખ ની લુંટ વીથ મર્ડરની ઘટનાથી શહેરીજનો હકકંપ મચી ગયો છે. અને પોલીસનો ખોફ ઓસરી રહ્યાની ચર્ચાએ જોર પકડયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કાળીયાબીડ નજીક રામેશ્વર મંદીર સામે રહેતા અને માલતીબેનના દવાખાને ચોકીદાર કરતા વિનોદભાઇ ગોરધનભાઇ પરમાર નામના પ્રૌઢ તા.રર ના રાત્રીએ દવાખાને ચોકીદારી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ગળેટુપો આપી તબીબના બંગલામાંથી રોકડા ધરેણા અને રૂ ૪ લાખની કાર મળી રૂ ૮ લાખની લુંટ કર્યાની નીલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં માલતીબેનના દવાખાનું અને બંગલો સાથે હોવાથી વિનોદભાઇ પરમાર ઘણા સમયથી ચોકીદારી કરે છે ત્યારે જાણભેદુ શખ્સોએ વિનોદભાઇના હાથ પગ બાંધી અને ગળેટુપો આપી તબીબના મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલા રૂ ૧૨ લાખના રોકડા અને ધરેણા અને ચાર લાખની કાર હંકારી ગયાનું બહાર આવ્યું છે.

પોલીસ અજાણ્યા શખ્સો સામે લુંટ અને હત્યાનો ગુનો નોંધી પી.આઇ. જે.જે. રબારી અને રાઇટર નિર્મળસિંહ સહીતના સ્ટાફ દ્વારા આસપાસના નિર્મળસિંહ સહીતના સ્ટાફ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરા અને કાર નંબરના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.

આ બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો જઇ નાકાબંધી કરી આરોપીને ઝડપી લેવા મહત્વને બ્રાંચને દોડાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.