Abtak Media Google News

દોઢેક માસ પહેલા બાઈકની ચાવીના પ્રશ્ને થયેલા ઝઘડાના કારણે હત્યાની કબુલાત

વાંકાનેરના રાતાવીરડા ગામે મોટર સાઈકલમાંથી ચાવી કાઢવા બાબતે અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખવા મામલે પોલીસે ગણતરીની કલાકમાં જ એક પરપ્રાંતીય સહિત બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.  પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા લખમણભાઈ જેરામભાઈ કુણપરાએ વાંકોનર તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવેલી કે તેમના દીકરા જગદીશ લખમણ કુણપરા (ઉ.વ.૪૦)ને એકાદ મહિના પહેલા મોટર સાયકલની ચાવી લેવા બાબતે માથાકુટ થતા બે શખ્સોને તેમના પુત્રે ઢીકાપાટુનો માર મારેલો જે બાબતનો ખાર રાખી આરોપી સંજય ભગવાનજી ઉકેડીયા રહે.રાતા વિરડા અને સંદીપભાઈ રાયસીંગભાઈ માલવી રહે.હાલ સરતાનપુર મુળગામ નીપનીયા ધાકડ, એમ.પી.વાળાઓએ એક સંપ કરી મરણ જનારને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી બંને આરોપીઓએ મરણ જનારને નીચે પાડી દઈ પથ્થરના ઘા માથામાં પાછળના ભાગે અને આગળના ભાગે મારી ગંભીર ઈજા કરી ફરિયાદીના દિકરાનું મોત નિપજાવી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ હત્યા અંગે પોલીસે ગુન્હો દાખલ કરી ગણતરીની કલાકોમાં સંજય ભગવાનજી ઉકેડીયા રહે.રાતાવિરડા અને સંદીપભાઈ રાયસીંગભાઈ માલવી રહે.હાલ સરતાનપર મુળગામ નીપનીયા ધાકડ, એમ.પી.વાળાઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.