Abtak Media Google News

રાજકોટ તા. રપ સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિઘ્ધ અને એક જ છત્ર હેઠળ સ્વાસ્થ્ય સંબંધી તમામ પ્રકારની ઇમરજન્સી સારવાર પુરી પાડતી રાજકોટની એન.એમ. વિરાણી  વોકહાર્ટ હોસ્પિટલ દિવાળીના તહેવારો દરમ્યાન પણ રાઉન્ડ  ધ કલોક કાર્યરત રહેશે. હ્રદય રોગનો હુમલો, અકસ્મ્ાતના કેસો, ઝાડા ઉલ્ટીના કેસો, સખત તાવ આવવો, ડેન્ગ્યુ વિગેરે દર્દોની તાત્કાલીક સારવારની જરુર હોય તેવા દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના ડોકટરો તેમજ સ્ટાફ ટુ રહેશે. વોકહાર્ટ ઇમરજન્સી સર્વિસીઝના મો. ૭૪૦૫૧ ૭૪૦૫૧ છે. કોઇપણ પ્રકારની ઇમરજન્સી સારવાર માટે આ નંબર ઉપર સંપર્ક કરવા વોકહાર્ટ હોસ્પિટલની એક યાદીમાં જણાવેલ છે. વિશેષમાં હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ નાગરીકોનું વિક્રમ સવંત ૨૦૭૬નું આગામી વર્ષે ખુબ જ આરોગ્યમય, સુખ-શાંતિ, સમૃઘ્ધિ અને પ્રગતિ અને પ્રગતિ સાથે પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.