વઢવાણની સંતોષ પાર્ક સોસાયટીમાં આવેલી ગટરના ઘણા ઢાંકણા તૂટી ગયેલ છે ત્યારે ગંદા પાણીથી ભરેલી ગટર સાફ કરી વહેલી તકે તેના ઢાંકણા નાખવા અંગે એડવોકેટ ડી.કે. વાઘેલા તથા સોસાયટીના રહીશોએ વઢવાણ ડેપ્યુટી કલેકટરને લેખીત રજુઆત કરી છે.રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે, સંતોષપાર્ક સોસાયટી શેરી નં.ર માં સિઘ્ધાર્થ છાત્રાલયની બાજુમાં આવેલ સોસાયટીમાં રહેણાંક મકાનની સામે ગંદા પાણીની ગટરનું ઢાકણું છેલ્લા છ માસથી તુટી ગયેલ છે. અને હાલ આ ગટર ખુલ્લી પડેલ છે. આ બાબતે અવાર નવાર વઢવાણ નગરપાલિકાના ગટરના કોન્ટ્રાક રાખનાર ને રજુઆતો કરેલ છે. છતાં પણ ગટરના ઢાંકણા નાખતા નથી કે સાફ પણ કરતા નથી. છેલ્લા ઘણા સમયથી ગટર ખુલ્લી પડેલ હોવાથી ઘણી વખત કુતરા તથા ભુંડણાઓ પડી ગયેલ છે. હાલ ચોમાસાનો સમય હોવાથી ગંદા પાણીની ગટર ખુલ્લી હોવાના કારણે ખરાબ દુર્ગધ આવે છે. ઘરમાંથી બહાર પણ નીકળી શકાતું નથી. અને બીમાર પડવાની શકયતાઓ રહેલી છે તથા રોગચાળો પણ ફેલાય તેમ છે. ત્યારે વહેલી તકે ખુલ્લી ગટર સત્વરે સાફ કરી ઢાંકણાથી ઢાંકી આપવા રજુઆત કરવામાં આવી છે.
Trending
- શું ઘરમાં કીડીઓનો ત્રાસ વધ્યો છે?
- ‘સિંદૂર’ એ પરિણીત મહિલાની ધાર્મિક ફરજ :ઈન્દોર કોર્ટ
- પીએન ગાડગિલ જવેલર્સ લિ.નો પબ્લીક ઈશ્યુ આવશે
- અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી Working Mom Guiltનો શિકાર છે…
- ભારતી હેકસાકોમ લિ.નો બુધવારે આઇપીઓ ખુલશે
- આજે રંગબેરંગી ટોપી દ્વારા બ્રેઈન ટ્યુમરની જનજાગૃતિનો પ્રચાર-પ્રસાર કરાશે
- લ્યો બોલો…..હવે તો સિંહ પણ અમર, અકબર અને એન્થોનીથી ઓળખાશે
- વોટર રિટેન્શનઃ માટે જવાબદાર છે આ ફૂડ્સ