Abtak Media Google News

આવતી કાલે 23મી એપ્રિલના રોજ 14 રાજ્યોમાં 115 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમા ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે. આ મતદાન દરમિયાન અનેક દિગ્ગજો મતદાન કરવા ગુજરાતમાં આવશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, નાણાંમંત્રી અરૂણ જેટલી અને એનસીપીના નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ સ્થિત સ્કૂલમાં મતદાન કરશે. ત્યારે અમિત શાહ નારાણપુરાની સંઘવી શાળામાંથી જ્યારે આનંદીબેન પટેલ શીલજ ખાતેની એક પ્રાથમિક શાળામાં મતદાન કરશે. એલ.કે.અડવાણી ખાનપુરના ભરડીયા વાસમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલમાં મતદાન કરશે એલ.કે અડવાણી(અમદાવાદ, પશ્ચિમ) બેઠક માટે મતદાન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.