Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માં સમયાનુકુલ રસ રુચિ જાગે તે હેતુસર રાજ્યમાં વિઝ્યુલાઇઝેશન શાળાઓ ઉભી કરવાની નેમ દર્શાવી છે.

આ માટે સ્ક્રીન અને પ્રોજેક્ટરની મદદથી વિઝ્યુલાઇઝેશન દ્વારા બાળકોને શિક્ષણ પુરુ પાડી ને ગુજરાતના બાળક ને વિશ્વ સમકક્ષ બનાવવા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ આજે અમદાવાદમાં આવેલ હીરામણિ સ્કુલ ખાતે ” અટલ ટીંકરીંગ લેબ” ખુલ્લી મુક્યા બાદ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના વિદ્યાર્થીઓ નાનપણ થી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ લે તે માટે અટલ ટીંકરીંગ લેબ યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ નીતિ આયોગ દ્વારા શાળાઓને રૂા. 10 લાખની સહાય આપવામાં આવે છે અને દર વર્ષે નિભાવણી માટે રૂા. 2 લાખ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.