Abtak Media Google News

નાગરિક મનહરભાઇ (ગડ્ડુ) દાફડાએ આવાસ યોજનામાં ઉચ્ચ સ્તરીય અને વિજીલન્સ  તપાસની લેખિત રજુઆતના અંતે ચીમકી ઉચ્ચારી

વિસાવદર શહેરના નાગરીક મનહરભાઇ (ગુડ્ડુ) દાફડાએ વિસાવદર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની ઉચ્ચ સ્તરીય અને વિજીલન્સ તપાસની માંગણી કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ – ભાવનગર, કલેકટર જુનાગઢ પ્રાંચ અધિકારી વિસાવદર તથા મામલતદાર વિસાવદર અને આવાસ યોજનાની એજન્સી સવવાણી એ એન્ડ ઇ ક્ધસલ્ટન્સી રાજકોટને લેખીત રજુઆત કરી તપાસની માંગણી કરી છે.

દાયડા (ગડ્ડુ) એ તેમની રજુઆતમાં જણાવ્યું છે કે, તેઓ વિસાવદર શહેરના નાગરીક છે. શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જ લોકોના મકાન હતા તેઓના ફોર્મ ભરાયું છે અને તેવા ફોર્મ મંજુર થયા છે. આ અંગે એજન્સીના માણસો દ્વારા ભયંકર ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાની રજુઆત કરેલ છે. જે લોકોએ બે થી ત્રણ વર્ષ પહેલા ફોર્મ ભર્યા છે. તેવા લોકોને કોઇપણ પ્રકારની સહાય કે હપ્તો આવેલ નથી. જયારે પાછળથી એટલે કે એકાદ વર્ષ પહેલા જ લોકોના ફોર્મ ભરાયેલ છે. તેવા લોકોને તમામ હપ્તા ચુકવાઇ ગયેલા છે. આમ, રકમના હપ્તા કયા ધારાધોરણ મુજબ કરવામાં આવેલ છે? કેવા કેવા ફોર્મને પ્રાયોરીટી આપવામાં આવેલ છે? કેવા ફોર્મની વિગતો કમ્પ્લીટ હોવા છતાં તેઓને હપ્તા ચુકવવાના નથી અને અટકાવી રાખવામાં આવે છે? તે કોના કહેવાથી અને આ માટે અટકાવવામાં આવેલા છે? જે લોકોને બેન્કની લોન ચાલતી હોય તેવા લોકોના અસલ દસ્તાવેજોની ખરાઇ કર્યા વગર હપ્તા ચુકવાઇ ગયેલા છે.

ઉપરોકત બાબતે વીજીલન્સ દ્વારા તપાસ કરી વિસાવદર શહેરમાં ફાળવવામાં આવેલ હપ્તા તથા બનેલા મકાનો સંબંધે ઇન્કવાયરી કરવા માટે અને તેની તપાસમાં અરજદાર દાફડા (ગડ્ડુ) ને સાથે રાખવા માંગણી કરેલી છે. તેમજ પત્રના અંતે દિન-૧પ માં તપાસ કરવામાં નહી આવે તો દિન-૧પમાં ગાંધી ચિંઘ્યા રાહે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.