Abtak Media Google News

જલારામ બાપા પરિવાર દ્વારા સત્તાવાર જાહેરાત

દેશ-વિદેશના મહાસંતશ્રી જલારામ બાપાની જન્મ જયંતિ કારતક સુદ સાતમને તા. ૧૪-૧૧ ના દિવસે ઉજવાશે તે દિવસે જલારામ બાપા ભકતજનો તથા રધુવંશી લોહાણા સમાજ દ્વારા ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે આ વખતે દિવાળી પછી કારતક સુદ સાતમની બે સાતમ આવેછે ત્યારે જલારામ બાપાના ભકતગણ તેમજ રધુવંશી લોહાણા સમાજને જાણ થાય તે હેતુથી વિરપુરમાં જલારામ બાપા પરીવાર દ્વારા કારતક સુદ સાતમની પ્રથમ સાતમ એટલે તા. ૧૪-૧૧ ને બુધવારના  દિવસે સમસ્ત વિરપુર ના ગામ લોકો તથા બાપાના પરિવારજનો દ્વારા જલારામ બાપાની જન્મ જયંતિ ની ઉજવણી કરનાર છે તો સર્વો ભકતો તથા રધુવંશીઓએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.