Abtak Media Google News

દંપતી વચ્ચે લગ્ન પ્રસંગના વ્યવહારના પૈસા બાબતે ઝઘડો થતા ૧૬ સંતાનની માતાની હત્યા: પતિની ધરપકડ

જેતપુર તાલુકાના વિરપુર નજીક વાળાડુંગરા ગામની પરિણીતાનું બે દિવસ પહેલાં શંકાસ્પદ રીતે થયેલા મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળુ દાબી હત્યા કરાયાનો અભિપ્રાય આપતા પોલીસે મૃતકના પતિ સામે ખૂનનો ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ કરતા દંપત્તી વચ્ચે લગ્ન પ્રસંગના વ્યવહારના પૈસા બાબતે ઝઘડો થયો હોવાથી હત્યા કર્યાની કબૂલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિરપુર નજીક આવેલા વાળાડુંગરા ગામે રહેતા સંગીતાબેન વિઠ્ઠલભાઇ ચુડાસમા નામની પરિણીતાનું બેભાન હાલતમાં મોત નીપજતા પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા પોસ્ટમોર્ટમ કરાતા સંગીતાબેનનું ગળુ દાબી હત્યા કરાયાનો અભિપ્રાય આપતા વિરપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકના પતિ વિઠ્ઠલ ભાણા ચુડાસમાની પૂછપરછ કરતા બંને વચ્ચે લગ્ન પ્રસંગમાં વ્યવહારના પૈસા બાબતે બોલાચાલી થતા ગળુ દાબી હત્યા કર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી પી.એસ.આઇ. આર.ડી.ચૌહાણે તપાસ હાથધરી છે.

વિઠ્ઠલ ચુડાસમાના ચોથા લગ્ન હતા અને મૃતક સંગીતાબેનના બીજા લગ્ન હતા. બંનેના કુલ ૧૬ સંતાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.