Abtak Media Google News

સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામના ગ્રામ જનો દ્વારા પ્રાથમિક શાળા આચાર્ય ની બદલી અટકાવવા માટે ગ્રામ જનો દ્વારા જીલ્લા શિક્ષણ વિભાગ તેમજ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી જણાવેલું કે રાખેજ ગામ ના પ્રાથમિક શિક્ષક ના આચાર્ય ની બદલી ના થવી જોઈએ

સુત્રાપાડા તાલુકા ના રાખેજ ગામના પ્રાથમિક શાળા આચાર્ય હાલ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે નારણ વરસિગ પરમાર ઘણા વર્ષો થી શિક્ષક તરીકે ફરજ બજાવી શાળા ના બાળકો ની હમેશા ચિંતા કરતા શિક્ષક દ્વારા શાળા નું નામ હર હમેશા આગળ વધાર્યું છે   આવા શિક્ષકો સરકારના નવા નિયોમો ને આધીન બદલી ના આદેશો કરયા છે જેના વિરોધમાં રાખેજ ગ્રામ જનો મેદાને આવ્યા છે  પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા  નારણભાઈ વરસિગભાઈ પરમારની કાર્ય પ્રણાલી ગ્રામજનો વિદ્યાર્થીઓ શિક્ષક ગણ સાથે  ખુબજ સારી છે જેથી શિક્ષક ગણ પોતે પણ ચિંતા માં છે આવા શિક્ષકો થી શાળા નું ભવિસ્ય ઉજ્વળ થતું હોય તેવા શિક્ષકો ની સરકારની ગેર નિયમો થી બદલી થી શિક્ષણ ગણ તો ઠીક ગ્રામજનો પણ વિરોધ નોંધાવી રહ્યા છે

નાનું ગામ હોવા છતાં પણ ગામમાં શિક્ષકો પોલીસ કોન્ટેબલ બેન્ક અધિકારીઓ જેવા હોનહાર સ્ટુડન્ટો ને ભણાવી ગણાવી ને રાખેજ ગામ ની શિક્ષણ સેત્રે આગવી ઓળખ કરી છે તેમજ ગામ ના શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવ્યું છે

મૂળ રાખેજ ગામ વાતની પોતાના નોકરી ધંધા માટે ગામ છોળી બહાર જતા હોવાથી ગામની પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓની સંખ્યા માં નજીવી સખ્ય ઘટી છે જેથી હાલ રાખેજ ગામમાં ફરજ બજાવતા  શિક્ષક ને આજે સરકાર ના નવા નિયમ ધારા ધોરણ પ્રમાણે સ્કૂલમાં સંખ્યા ઓછો હોવાને કારણે બદલી નો ભોગ બનવું પાળે છે જેથી રાખેજ ગ્રામ જનો દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી નારણ વરસીગ પરમાર ની બદલી ના થાઈ તેવી માંગ સાથે ગ્રામ જનો એ પણ જણાવેલું કે  સરકાર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય ના આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આગળ આવસુ તેમજ જરૂર પળે તો સ્કૂલ ની તાળા બધી પણ કરીશુ આવી ઉગ્ર માંગ સાથે ગ્રામજનો દ્વારા સરકાર ના નિયમો સામે સવાલો ઉઠતા હવે જોવું રહ્યું કે સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય શું કરે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.