Abtak Media Google News

કરોડો પાટીદારોનાં તીર્થસ્થાન ઉંઝામાં ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાશે લક્ષચંડી મહાયજ્ઞ: ૮૦૦ વિઘા જમીન ઉપર યોજાનાર મહાયજ્ઞમાં ૬૦ લાખ ભાવિકો પધારશે

કરોડો પાટીદારોનાં તીર્થસ્થાન ઉંઝામાં આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ નિમિતે કરોડો પાટીદારોની આસ્થા અને શ્રદ્ધાનાં પ્રતિક સમાન માં ઉમિયાનાં સાનિઘ્યમાં ઉઝા ખાતે ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ દાતાઓના દાનનાં વિશાળ પ્રવાહ સાથે સંપન્ન થયો હતો. પ્રારંભમાં જય માં ઉમિયાનાં જયઘોષ તથા મંત્રોચ્ચાર સાથે ઉછામણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ૧૦,૦૦૦થી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉછામણીમાં રૂા.૪,૨૫,૫૫,૫૦૧ની દાન સાથે મોરબીની સનહાર્ટ ફેકટરી (વરમોરા ગ્રુપ)ના માલિક (હાલ અમદાવાદનાં ઉધોગપતિ) ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરાને મુખ્ય યજમાન બનવાનું ઐતિહાસિક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તથા સીદસર મંદિરનાં ટ્રસ્ટી ડી.એન.ગોલ દ્વારા માતાજીની અખંડ જયોત પાઠશાળા સ્થાપનની ઉછામણીમાં ૧૧,૧૧,૧૧૧ નું માતબર દાન આપી યજમાન બન્યા છે. મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ગૌરવ લેવા જેવી ઘટના છે. રૂા.૧,૧૧,૧૧,૧૧૧ના દાન સાથે અમદાવાદનાં મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ બીજા કુંડના યજમાન બન્યા છે. આ પ્રસંગે સમાજનાં દાનેશ્ર્વરીઓ, ઉધોગપતિઓ, રાજકીય-સામાજીક આગેવાનો તથા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, ઈન્દોર સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય યજમાન ઉપરાંત મુખ્ય ૧૪ જેટલી ઉછામણી દરમિયાન ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા ભોજન સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ૮૦૦ વિઘા જમીનમાં યોજાનારા આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞમાં દેશ-વિદેશથી ૬૦ લાખ જેટલા ભકતો દિવ્ય દર્શન માટે પધારશે. દસકોઈનાં ધારાસભ્ય અને લક્ષચંડી મહોત્સવનાં ચેરમેન બાબુભાઈ જે.પટેલનાં અધ્યક્ષ સ્થાને આયોજિત ઉછામણીનાં આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાનાં પ્રમુખ મણીભાઈ પટેલે ઓનલાઈન પેમેન્ટ ગેઈટવેનું લોન્ચીંગ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વિશ્ર્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે પાટીદાર સમાજ ડેવલપ થશે. સંસ્થાનનાં ઉપપ્રમુખ પ્રહલાદભાઈ કામેશ્ર્વરે સ્વાગત પ્રવચન કર્યું હતું. યજ્ઞનાં મુખ્ય આચાર્ય રાજેશભાઈ એ આ યજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું. સંસ્થાનનાં મંત્રી દિલીપભાઈ પટેલે (નેતાજી) લક્ષચંડી મહાયજ્ઞની ગતિવિધિઓ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં યજ્ઞનાં પ્રોજેકટ ચેરમેન આઈએએસ મહેન્દ્રભાઈ એસ.પટેલ (સચિવ ગાંધીનગર), ઉંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, યજ્ઞનાં ક્ધવીનર અરવિંદભાઈ કે.પટેલ (એમએપી ગ્રુપ, અમદાવાદ) સંગઠન કન્વીનર પ્રવિણભાઈ પટેલ તથા મંત્રી નિતીનભાઈ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ઉંઝા મંદિરનાં ઉપપ્રમુખ ગટોરભાઈ પટેલ, સીદસર મંદિરનાં ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મંત્રી તથા એડી.કલેકટર જયેશભાઈ પટેલ, સીદસર મંદિરનાં ટ્રસ્ટી તથા પટેલ સેવા સમાજનાં પ્રમુખ અરવિંદભાઈ પટેલ તથા તેના નેતૃત્વમાં સમાજનાં ટ્રસ્ટીઓ અને આગેવાનોની ટીમ, સીદસર મંદિરનાં ટ્રસ્ટી તથા ઉંઝા મંદિરના કારોબારી સભ્ય પરસોતમભાઈ ફળદુ ઉંઝાનાં કારોબારીનાં સભ્ય મનીષભાઈ ચાંગેલા, કારોબારી સભ્ય ખેતશીભાઈ પટેલ (સુરેન્દ્રનગર), પટેલ સમાજનાં ઉપપ્રમુખ નરોતમભાઈ કણસાગરા, વસંતભાઈ ભાલોડીયા (ઓરકેવ ગ્રુપ) સીદસર મંદિર સંગઠન સમિતિ તથા લક્ષચંડી યજ્ઞ રાજકોટનાં ક્ધવીનર કાંતિભાઈ ઘેટીયા, કાંતિભાઈ માકડિયા તથા પ્રફુલભાઈ કાથરોટીયાની ટીમ, લક્ષચંડી યજ્ઞનાં સૌરાષ્ટ્રનાં મીડિયા ઈન્ચાર્જ પ્રો.ડો.જે.એમ.પનારા, સમાજનાં મંત્રી કિશોરભાઈ ઘોડાસરા, પટેલ પ્રગતિ મંડળનાં મંત્રી સંજયભાઈ કનેરીયા, ખજાનચી જગદીશભાઈ પરસાણીયા, ટ્રસ્ટી નાથાભાઈ કાલરીયા, મગનભાઈ ધીંગાણી, જમનભાઈ ભલાણી, મનસુખભાઈ જાગાણી (ખેડુત ગ્રુપ), પરસોતમભાઈ ડઢાણીયા, ઈશ્વરભાઈ વાછાણી, વલ્લભભાઈ પટેલ (પંચવટી), રાજકોટ ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ ધમસાણિયા, ફિલડ માર્શલ વાડી સામાકાંઠાનાં પ્રમુખ પ્રતાપભાઈ સીણોજીયા, કિરીટભાઈ સાદરીયા (ઝાલાવાડ ખાખરીયા સમાજ), જગતભાઈ પટેલ, કડવા પટેલ સમાજ કેશોદનાં પ્રમુખ ગોપાલભાઈ ખાનપરા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉંઝા ખાતે ઉમટી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.