સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા અને નગવાડા ગામ તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે નોવેલ કોરોના વાયરસનો એક-એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. તે મુજબ જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા ગામના દલિતવાસના ૫ ઘરોની ૧૯ની વસ્તીના અને નગવાડા ગામના ઠાકોરવાસના ૭ ઘરોની ૧૮ની વસ્તીના વિસ્તારને તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે મેલડીમાના મંદીરની આસપાસના મેઈન રોડ વિસ્તારના ૪ ઘરોની ૧૧ની વસ્તીના સમગ્ર વિસ્તારને ક્ધટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે તથા આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરૂ પાડવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ