Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા અને નગવાડા ગામ તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે  નોવેલ કોરોના વાયરસનો  એક-એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. તે મુજબ જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા ગામના દલિતવાસના ૫ ઘરોની ૧૯ની વસ્તીના અને નગવાડા ગામના ઠાકોરવાસના ૭ ઘરોની ૧૮ની વસ્તીના વિસ્તારને તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે મેલડીમાના મંદીરની આસપાસના મેઈન રોડ વિસ્તારના ૪ ઘરોની ૧૧ની વસ્તીના સમગ્ર વિસ્તારને ક્ધટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે તથા આ વિસ્તારમાં  તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરૂ પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.