Abtak Media Google News

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી રહી છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)એ સીએની વિવિધ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. ફેરફાર મુજબ બીજી એપ્રિલથી 17મી એપ્રિલ સુધીની પરીક્ષા લોકસભાની ચૂંટણી પછી યોજવામાં આવશે.

હવે સીએની વિવિધ પરીક્ષાઓ 27મી મેથી 12મી જૂન દરમિયાન ફાઉન્ડેશન કોર્સ, ઇન્ટરમીડિએટ (આઈપીસી) કોર્સ તેમ જ ફાઇનલ કોર્સની પરીક્ષાઓ યોજાશે.

આ ઉપરાંત 5મી જૂન, બુધવારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોવાથી કોઈ પણ પરીક્ષા રાખવામાં આવી નથી. આઈસીએઆઈએ પરીક્ષાની તારીખોમાં કરવામાં આવેલા ફેરફારની વિગતો સીએ ઇન્સ્ટિટ્યૂટની સત્તાવાર વેબસાઇટ પર પણ મૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.