Abtak Media Google News

બનારસના કેન્ટ વિસ્તારમાં બુધવારે એક મોલમાં એક અજ્ઞાત વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ બુધવારે સાંજે કેન્ટ વિસ્તાર સ્થિત જેએચવી મોલમાં અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જેમાં મોલમાં હાજર તમામ લોકો ડરી ગયા હતા. તહેવારનો સમય હોવાથી મોલમાં ઘણી ભીડ હતી. ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકો સુરક્ષિત ઠેકાણાં તરફ ભાગવા લાગ્યાં. પ્રાથમિક માહિતી મુજબ ગોળીબારીમાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.